બુરાડી હાઉસમાં હવે અલી બ્રધર્સ રહે છે, દાવો - રાત્રે ભટકે છે આત્માઓ
દિલ્હીના બુરાડી સ્થિત એક ઘરમાં ગયા વર્ષે એક જ પરિવારના 11 લોકોની કથિત રીતે આત્મહત્યાના કેસએ દેશ અને વિદેશ સુધી લોકોને કંપાવી દીધા હતા.
દિલ્હીના બુરાડી સ્થિત એક ઘરમાં ગયા વર્ષે એક જ પરિવારના 11 લોકોની કથિત રીતે આત્મહત્યાના કેસ દેશ અને વિદેશ સુધી લોકોને કંપાવી દીધા હતા. આ દુર્ઘટના પછી ફક્ત ચુડાવત પરિવારનો એક જ સભ્ય જીવિત રહ્યો હતો. આ ઘર વિશે વિવિધ પ્રકારની કહાનીઓ શરૂ થઈ ગઈ હતી. ઘણાં મહિના સુધી આ ઘર ખાલી હતું. આ પછી, ચુડાવત પરિવારના નજીકના બે ભાઈઓ અહમદ અને અફસરે અહીં રહેવાનું શરુ કર્યું. અલી અહમદ અને અફસર આ મકાનમાં લગભગ નવ મહિનાથી રહે છે અને તેમને આ ઘર વિશે ઘણાં દાવા કર્યા છે.
11 ના મૃત્યુ પછી, ઘરને કહેવામાં આવ્યું ભૂતબંગલો
હિન્દુસ્તાન ટાઇમ્સ અનુસાર, ગયા વર્ષે 1 જુલાઈએ, આ જ પરિવારના 11 લોકોએ આ ઘરમાં આત્મહત્યા કરી હતી. આ મોતો જે રીતે થઇ અને અને જેટલા પ્રકારની કહાનીઓ સંભળાવામાં આવી, તે પછી આ ઘરને લઈને પાડોસીઓના મનમાં દર બેસી ગયો. પાડોશીઓ અને સંબંધીઓએ આ ઘરને ભૂતબંગલો નામ આપ્યું હતું. ઘરના તમામ સભ્યોના અવસાન પછી, પરિવારના એકમાત્ર સભ્ય દિનેશ ચુડાવતને આ ઘર ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. દિનેશ બે રાત સુધી રહ્યા અને પછી તે ઘર છોડી દીધું.
ઓક્ટોબરમાં અહીં રહેવા આવ્યા અલી બ્રદર્સ
ઘર લગભગ સાડા ત્રણ મહિના બંધ રહ્યું હતું. આ પછી ઓક્ટોબરમાં, ચુડાવત પરિવારના જૂના મિત્રો અહમદ અને અફસર અલી અહીં રહેવા આવ્યા. આ બે ભાઈઓને આસપાસના ઘણા લોકોએ ઘરની હોરર કહાનીઓ કહી હોવા છતાં પણ એહમદ અલી અને તેના ભાઈ અફસર અલીએ ઘરમાં રહેવાનું શરૂ કર્યું હતું. આ ભાઈઓ કહે છે કે પરિવારના લોકોના અવસાન પછી ઘર ન છોડાય, આ બતાવવા માટે જ રહે છે.
'આત્માઓ આજે પણ ભટકી રહી છે'
અલી બ્રધર્સએ જણાવ્યું કે શરૂઆતમાં, અમે તે જ રૂમમાં રહ્યા હતા અને સૂઈ ગયા હતા જ્યાંથી 11 મૃતદેહો મળી આવ્યા હતા. સફસર તો કઈ જ નથી કહેતા પરંતુ અહમદ માને છે કે આત્માઓ ઘર પર આવે છે. અહમદ કહે છે કે રાતે આ ઘરમાં કંઇક અલગ જરૂર થાય છે. જણાવી દઈએ કે ગયા વર્ષે જુલાઇમાં બુરાડીના આ ઘરમાંથી 11 લોકોના મૃતદેહો મળ્યા હતા. આ 11 લોકોમાં, 7 સ્ત્રીઓ અને 4 પુરુષો હતા. મૃતદેહો જે રીતે મળી આવ્યા હતા, તે પછી માનવામાં આવ્યું હતું કે કોઈ તંત્રમંત્રમાં તેઓ મૃત્યુ પામ્યા હતા.