કેન્દ્ર-રાજ્યની બેજવાબદારીના પગલે સર્જાઇ અલ્હાબાદ કરુણાંતિકા: ભાજપ

તેમણે જણાવ્યું કે 'સ્ટેશન પર ભાગદોડ એટલા માટે થઇ કારણ કે ત્યા ખુબ જ અફરાતફરી હતી. તેને સારી રીતે સંભાળી શકાય તેમ હતું. આવી ઘટના દરેક ધાર્મિક આયોજનની વાર્તા બની ગઇ છે.'
ભાજપા નેતા મુરલી મનોહર જોશીએ દાવો કર્યો ખે કુંભ મેળા અધિકારીઓ અને સ્થાનીય અધિકારીઓની પાસે ભીડને સંભાળવાની કોઇ યોજના ન્હોતી. જોશીએ એક સમાચાર ચેનલને જણાવ્યું કે 'આશા હતી કે સરકાર અને અધિકારી આટલા મોટા આયોજનને સારી રીતે સંભાળશે. આ વખતે અલ્હાબાદમાં રેકોર્ડ બ્રેક ભીડ ઉમટી પડી હતી. આમ છતાં અધિકારીઓની પાસે ભીડને સંભાળવાની કોઇ યોજના ન્હોતી, અને તેમને એ પણ ન્હોતી ખબર કે આવી સ્થિતિને કેવી રીતે સંભાળીશું.'
જોકે રેલવે મંત્રી પવન કુમાર બંસલે એ વાતનું ખંડન કર્યુ હતું કે અલ્હાબાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ પર એક ફૂટ ઓવર બ્રિજની રેલિંગ તૂટવાના કારણે ભાગદોડ મચી હતી, પરંતુ તેમણે કહ્યું કે આ દુર્ઘટના વધુ પડતી ભીડ હોવાના કારણે ઘટી હતી. નોંધનીય છે કે આ દુર્ઘટનામાં અત્યારસુધી 36 લોકોના મોત નિપજ્યાં છે.












Click it and Unblock the Notifications
