કડક સુરક્ષા વચ્ચે આજથી શરુ થઈ અમરનાથ યાત્રા
આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. અમરનાથ યાત્રા માટે પ્રથમ બેચને 29 જૂને દિલ્લીના એલજી દ્વારા બેઝ કેમ્પથી રવાના કરવામાં આવી.
શ્રીનગરઃ આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. અમરનાથ યાત્રા માટે પ્રથમ બેચને 29 જૂને દિલ્લીના એલજી દ્વારા બેઝ કેમ્પથી રવાના કરવામાં આવી હતી. કડક સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે બે વર્ષ બાદ અમરનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. આ પહેલા કોરોનાને કારણે બે વર્ષ સુધી અમરનાથ યાત્રા થઈ શકી ન હતી. યાત્રાળુઓની સુરક્ષા માટે ભારે સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો આજે જોશ અને ઉત્સાહ સાથે રવાના થયો હતો. ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે રીતે બે વર્ષ બાદ ફરી એકવાર આ યાત્રા શરૂ થઈ છે તેનાથી લોકો ખૂબ જ ખુશ છે. બાબાના ભક્તો છેલ્લા બે વર્ષથી આ યાત્રા ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. પહેલગામમાં આજે યાત્રા શરૂ કરતા પહેલા ભક્તોએ 'બમ બમ ભોલે'ના નારા લગાવ્યા હતા.
તમને જણાવી દઈએ કે બાબા ભોલેનાથની યાત્રા આજથી જ શરૂ થઈ ગઈ છે. બાબા અમરનાથને બાબા બર્ફાની તરીકે પણ ઓળખવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે ભગવાન શિવ અહીં સ્વયં માતા પાર્વતી સાથે બિરાજમાન છે. અહીં જ બાબા ભોલેનાથે માતા પાર્વતીને અમરત્વનુ રહસ્ય કહ્યુ હતુ. અમરનાથના દર્શન કરનારા ભક્તોનુ માનવુ છે કે અહીં બાબા બર્ફાનીના દર્શન કરવાથી મનુષ્યના પાપ ભૂંસાઈ જાય છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી







Click it and Unblock the Notifications
