NRC અને NPR વચ્ચે કોઈ સંબંધ નથીઃ અમિત શાહ
NRC અને NPR વચ્ચે કોઈ સંબંધ નથીઃ અમિત શાહ
નવી દિલ્હીઃ દેશના ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે નાગરિકતા સંશોધન એક્ટને લઈ દેશમાં થઈ રહેલ વિરોધ પ્રદર્શન, પોલીસની કાર્યાહી અને ડિટેન્શન સેન્ટર સહિત કેટલાય મુદ્દાઓ પર ન્યૂઝ એજન્સી એએનઆઈને ઈન્ટર્વ્યૂ આપ્યું. એનઆરસી અને એનપીએને લઈ થઈ રહેલ વિરોધ પ્રદર્શન પર અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર વચ્ચે કોઈ સંબંધ નથી, આ વિશે હું આજે સ્પષ્ટ રીતે જણાવી દેવા માગું છું.

પીએમ મોદીના નિવેદન પર સ્પષ્ટતા આપતાં અમિત શાહે કહ્યું કે આના પર દલીલો કરવાની કોઈ જરૂરત નથી કેમ કે હજી એનઆરસી પર કોઈ ચર્ચા જ નથી થઈ, પીએમ મોદી સાચા હતા, આના પર હજી ચર્ચા થઈ નથી. મંત્રીમંડળમાં પણ એનઆરસી પર ચર્ચા નથી થઈ કે સંસદમાં પણ એનઆરસી પર ચર્ચા નથી થઈ. એનપીએ પર સરકારનું સ્ટેન્ડ સાફ કરતા અમિત શાહે કહ્યું કે 2004માં એનપીઆરમાં યૂપીએ સરકારે કાનૂન બનાવ્યો હતો, 2010માં વસ્તીગણતરી થઈ હતી, તેની સાથે જ એનપીએ પણ કરવામાં આવ્યું હતું. આ વખતે પણ તેવી રીતે જ કરાશે, આ ભાજપ સરકારે શરૂ નથી કર્યું.
તેમણે કહ્યું કે એનપીઆરના ડેટાનો ઉપયોગ સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે થાય છે. નાગરિકતા કાનૂનનો વિવાદ ખતમ થઈ રહ્યો છે. માટે હવે એનપીએને લઈ ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. રાજનીતિ થઈ રહી છે. એનપીઆરનું નોટિફિકેશન 31 જુલાઈએ જાહેર થયું, હવે આના પર વિવાદ કરાવવાની કોશિશ થઈ રહી છે.
અસાદુદ્દીન ઓવૈસીની આલોચના પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જો અમે કહીએ કે સૂર્ય પૂર્વથી ઉગે છે તો ઓવૈસીજી કહે છે કે પશ્ચિમથી ઉગે છે. તેઓ હંમેસા અમારા વલણનો વિરોધ કરે છે. છતાં હું તેમને ફરીથી વિશ્વાસ અપાવું છું કે સીએએનું એનઆરસી સાથે કંઈ લેવાદેવા નથી. કેરળ અને પશ્ચિમ બંગાળ દ્વારા એનપીઆર ના લાવવા પર અમિત શાહે કહ્યું કે હું વિનમ્રતાથી બંને મુખ્યમંત્રીઓને ફરીથી અપીલ કરું છું કે આવું એકેય પગલું ના ભરો અને કૃપિયા તમે ફેસલાની સમીક્ષા કરો, ગરીબોને તમારી રાજનીતિ માટે માત્ર વિકાસ કાર્યક્રમોથી બહાર ના રાખો. વધુમાં અમિત શાહે કહ્યું જનતાને જણાવવા માગું છું કે એનપીઆરનો ઉપયોગ એનઆરસી માટે ના થઈ શકે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
