અમિત શાહને ભરોસો, 5માંથી 4 રાજ્યોમાં ભાજપ બનાવશે સરકાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ભરોસો છે કે પાંચમાંથી ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે.
નવી દિલ્લીઃ ઉત્તરાખંડ, ગોવા, મણિપુર, પંજાબમાં વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ચૂકી છે. જો કે, ઉત્તર પ્રદેશમાં સાતમાં અને અંતિમ તબક્કાનુ મતદાન 7 માર્ચે થવાનુ છે. વળી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ભરોસો છે કે પાંચમાંથી ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે. અમિત શાહને ભરોસો છે કે પંજાબમાં પાર્ટી સારુ પ્રદર્શન કરશે. 10 માર્ચે પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામો ઘોષિત થશે. અમિત શાહે કહ્યુ કે પાંચે રાજ્યોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પહેલાના કોઈ પણ પ્રધાનમંત્રી કરતા વધુ હતી.
પાંચમાંથી 4 રાજ્યમાં સરકાર બનાવશે ભાજપ
દિલ્લીમાં શનિવારે અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પાંચે રાજ્યોમાં ભાજપના સારા પ્રદર્શનની વાત કહી. અમિત શાહે કહ્યુ કે જે લોકોને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં હાર જોવી પડશે તેમને નિરાશા થશે. ચાર રાજ્યોમાં લોકો ભાજપને પોતાનુ સમર્થન આપશે. શાહે ભાજપના ચૂંટણી પ્રચારને વૈજ્ઞાનિક અને સંપૂર્ણપણે સંગઠિત બતાવ્યુ. અમે જોયુ કે બધા પાંચે રાજ્યોમાં પીએમ મોદીની લોકપ્રિયતા કોઈ પણ પ્રધાનમંત્રીથી સૌથી વધુ રહી છે.
યુપીમાં 92.6 ટકા વચનો પૂરા કર્યા
શાહે કહ્યુ કે પહેલા ઉત્તર પ્રદેશમાં નીતિઓ કાગળો પર રહેતી હતી પરંતુ હવે પહેલી વાર જમીન પર નીતિઓ લાગુ કરવામાં આવી રહી છે. 92.6 ટકા વચનોને ભાજપ સરકારે પૂરા કર્યા છે. જે રીતે વારાણસીના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ જબરદસ્ત સ્વાગત કર્યુ એ અસાધારણ હતુ. મણિપુરમાં પણ ભાજપ જાતે પોતાની સરકાર બનાવશે. 2017માં ભાજપે બે સ્થાનિક પક્ષો નેશનલ પીપલ્સ પાર્ટી અને નાગા પીપલ્સ ફ્રંટ સાથે ગઠબંધન કર્યુ હતુ.
શાહે પરિવારવાદ પર સાધ્યુ નિશાન
પરિવારવાદ પર નિશાન સાધીને અમિત શાહે કહ્યુ કે ભાજપ પ્રદર્શનની રાજનીતિ પર વિશ્વાસ રાખે છે નહિ કે પરિવારની રાજનીતિ પર. નડ્ડાએ કહ્યુ કે કોરોના મહામારી દરમિયાન ચૂંટણી પ્રચાર ઘણુ પડકારરુપ હતુ. હવે આપણે સહુ જાણીએ છીએ કે ચૂંટણી પ્રચાર ખતમ થઈ ગયા છે, શરુઆત ચૂંટણી પ્રચાર કોરોના મહામારીના પડકાર વચ્ચે થઈ. અમે પાંચે રાજ્યોના લોકોનો આભાર માનીએ છીએ કે જેમણે કોરોના પ્રોટોકૉલનુ પાલન કર્યુ. અમારી પાર્ટીએ પણ લોકો સુધી પહોંચવાની ભરપૂર કોશિશ કરી.
ગોવા-પંજાબ-મણિપુરમાં સારા પરિણામોની આશા
ગોવા વિશે વાત કરીને નડ્ડાએ કહ્યુ કે ગોવા હવે આત્મનિર્ભર થઈ ગયુ છે. રાજ્યએ પહેલાની સરખામણીમાં એક બિલકુલ નવી તસવીર રજૂ કરી. ઉત્તરાખંડ વિશે નડ્ડાએ કહ્યુ કે ભાજપની આગેવાનીવાળી સરકારે બધી ઋતુમાં રાજ્ય માટે કામ કર્યુ છે. રસ્તાથી લઈને ચાર ધામ યાત્રા પ્રોજેક્ટ પર કામ કર્યુ. મણિપુરમાં વિદ્રોહ અને ઉથલ-પાથલની સ્થિતિ હતી પરંતુ છેલ્લા પાંચ વર્ષોમાં આવુ નહોતુ. પંજાબ વિશે નડ્ડાએ કહ્યુ કે ઢીંડસા અને અમરિંદર સિંહ સાથે અમારે ગઠબંધન છે, અમને આશા છે કે ચૂંટણીમાં પરિણામ સારા આવશે.