વડાપ્રધાન મોદીને સરમુખત્યાર કહેવા બદલ ભડક્યા અમિત શાહ, આપ્યો આવો જવાબ
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન સૌથી વધુ લોકશાહી નેતાઓમાંના એક છે, જે તેઓ જાણે છે. આ સાથે અમિત શાહે ઘણા આક્ષેપોને પણ ફગાવી દીધા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ 'સરમુખત્યાર' છે.
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સપ્તાહે જાહેર સેવામાં પોતાના 20 વર્ષ પૂર્ણ કર્યા હતા. રવિવારના રોજ ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન સૌથી વધુ લોકશાહી નેતાઓમાંના એક છે, જે તેઓ જાણે છે. આ સાથે અમિત શાહે ઘણા આક્ષેપોને પણ ફગાવી દીધા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ 'સરમુખત્યાર' છે.

અમિત શાહે વિપક્ષને પાયાવિહોણા આક્ષેપો સાથે કેન્દ્ર સરકારની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવા બદલ નિંદા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદ ટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં રવિવારના રોજ નરેન્દ્ર મોદી એક "સરમુખત્યાર" હોવાના આરોપોને ફગાવી દીધા હતા અને જણાવ્યું હતું કે, વડાપ્રધાન સૌથી લોકશાહી નેતાઓમાંના એક છે.
અમિત શાહે જણાવ્યું કે, મને વિપક્ષ અને સરકાર બંનેમાં મોદી સાથે કામ કરવાની તક મળી છે. મેં તેમના જેવા પ્રેક્ષકને ક્યારેય જોયા નથી. બેઠક ગમે તે હોય, મોદી બને તેટલું ઓછું બોલે અને ધીરજથી દરેકનું સાંભળે. તે વ્યક્તિના અભિપ્રાયના મૂલ્યને ધ્યાનમાં લે છે વ્યક્તિના મહત્વને નહીં. જે બાદ જ તેઓ કોઇ નિર્ણય લે છે. તેથી આરોપોમાં કોઈ સત્ય નથી અને એમ કહેવું કે, તે સરમુખત્યાર છે, જે પોતાના નિર્ણય બીજા પર લાદે છે, તેમાં કોઈ સત્ય નથી.
શા માટે ઉભા થયા સવાલો?
આ સાથે જ અમિત શાહે નરેન્દ્ર મોદીની શાસનની શૈલીની પ્રશંસા કરી અને પાયાવિહોણા આક્ષેપો સાથે સરકારની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવા બદલ વિપક્ષની નિંદા કરી. શાહે કહ્યું કે, મોદી કેબિનેટને સૌથી લોકશાહી રીતે ચલાવે છે. ફોરમમાં જે ચર્ચા કરવામાં આવે છે, તે સાર્વજનિક ક્ષેત્રમાં લીક કરી શકાતી નથી, તેથી એક ગેરસમજ છે કે, દરેક પોતાના માટે નિર્ણય લે છે, પરંતુ આવું નથી. તે આ બાબતે ચર્ચા કરે છે. તે દરેકનું સાંભળે છે અને અંતિમ નિર્ણય ચોક્કસપણે તેની સાથે છે, કારણ કે, તે વડાપ્રધાન છે.
અમિત શાહે જણાવ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે જે લોકો રાજકીય વિચારો બદલી રહ્યા છે, તેઓ વડાપ્રધાનની છબીને ખરાબ કરવા માટે સત્યને મરોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપ સત્તા પર આવ્યા બાદના વર્ષોમાં ઘણા વિપક્ષી નેતાઓએ નોટબંધી, કલમ 370 નાબૂદી અને કૃષિ કાયદા અંગે ખેડૂતોના વિરોધ સુધીના ઘણા મુદ્દાઓ પર લેવાયેલા નિર્ણયો પર વડાપ્રધાનને સરમુખત્યાર ગણાવ્યા હતા.
-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ












Click it and Unblock the Notifications
