UP Election: અમિત શાહે કહ્યુ - જયંતભાઈએ ખોટુ ઘર પસંદ કરી લીધુ
જાટ સમુદાય સાથે બેઠક બાદ અમિત શાહે રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરી વિશે એક નિવેદન આપ્યુ હતુ.
નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે યુપી ચૂંટણી પહેલા પશ્ચિમના જાટોને આકર્ષવા માટે ભાજપના સાંસદ પરવેશ વર્માના ઘરે લગભગ 250 જાટ નેતાઓને મળ્યા અને ભાજપ માટે સમર્થન માંગ્યુ હતુ. બેઠક બાદ અમિત શાહે રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરી વિશે એક નિવેદન આપ્યુ હતુ. અમિત શાહે કહ્યુ હતુ કે જયંત ચૌધરીએ ફરીથી એકવાર ખોટુ ઘર પસંદ કર્યુ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યુ કે, 'હું અત્યારે પણ કહી રહ્યો છુ કે જયંતભાઈએ ખોટુ ઘર પસંદ કરી લીધુ છે. હું 2013માં પણ તમારી પાસે આવ્યો હતો. અમે 2014માં સરકાર બનાવી હતી. 2017માં ફરીથી સરકાર બની અને આશીર્વાદ આપ્યા અને પ્રેમ પણ આપ્યો. 2019માં પણ આવ્યો. મારા પ્રમુખ રહેતા જાટ સમુદાયે ટીઓની ચૂંટણીમાં દિલ ખોલીને સમર્થન આપ્યુ હતુ.'
અમિત શાહે કહ્યુ કે જાટ પણ ખેડૂતનુ સાંભળે છે. ભાજપ પણ ખેડૂતનુ સાંભળે છે. જાટ સમાજે મતોથી પોતાની ઝોળી ભરી દીધી. જાટ દેશની સુરક્ષા વિશે વિચારે છે. ભાજપ પણ રાષ્ટ્રીય સુરક્ષાનુ વિચારે છે.મોદીજીએ ટિકેતને માન આપ્યુ. તમે પાર્ટીને મજબૂત કરી છે. ભાજપ પર જાટ સમુદાયનો અધિકાર છે. ભાજપે સૌથી વધુ જાટ મંત્રીઓ અને ધારાસભ્યો આપ્યા છે. અમિત શાહે કહ્યુ કે શામલીમાં 250 કરોડ રૂપિયાના ખર્ચે PACનુ મુખ્યાલય બનાવવામાં આવી રહ્યુ છે. ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં મેટ્રો લાવ્યા અને સ્માર્ટ સિટી બનાવવાની કામગીરી હાથ ધરી છે.
અમિત શાહે જાટ નેતાઓને કહ્યુ કે કાશ્મીરમાં 40 હજાર લોકો માર્યા ગયા અને તેની કોઈએ જવાબદારી નથી લીધી. જ્યારે પુલવામામાં હુમલો થયો ત્યારે અમે હવાઈ હુમલો કર્યો અને બદલો લીધો. ખેડૂતોના ખાતામાં 80 હજાર કરોડ નાખ્યા. 5 રાજ્યોમાં શેરડી, ખાંડ, ઘઉં, બટાકા, આંબળા અને દૂધનુ ઉત્પાદન થતુ નથી. હવે તે નંબર 1 પર છે. યોગી સરકાર આવી ત્યારે ખેડૂતોની લોન માફ કરવામાં આવી હતી. જેઓ મૂછો પર ધ્યાન આપતા હતા તેઓ યુપી છોડી ગયા છે કે નહિ તમે જ કહો. અમિત શાહે જાટોને એક થવાની અપીલ કરી હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
