અમૃતસર ટ્રેન દૂર્ઘટનાઃ ઘાયલોને મળ્યા સીએમ અમરિંદર સિંહ, મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઘાયલોની સ્થિતિ જાણવા માટે અમૃતસર પહોંચ્યા છે. ઘાયલોની મુલાકાત બાદ તેમણે કહ્યુ કે દૂર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.
પંજાબના અમૃતસરમાં બનેલ ભીષણ દૂર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યુ છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 61 લોકોના મૃત્યુ નીપજ્યા છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઘાયલોની સ્થિતિ જાણવા માટે અમૃતસર પહોંચ્યા છે. ઘાયલોની મુલાકાત બાદ તેમણે કહ્યુ કે દૂર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. ચાર સપ્તાહમાં રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ છે કે આ બહુ મોટી દૂર્ઘટના છે. હું આનાથી ખૂબ જ દુઃખી છુ. જો કે આ આરોપ-પ્રત્યારોપનો સમય નથી. બધાએ મળીને પીડિત પરિવાર સાથે ઉભા રહેવાની જરૂર છે.

દૂર્ઘટનામાં ઘાયલ લોકોને મળવા પહોંચ્યા પંજાબના સીએમ
અમૃતસર દૂર્ઘટના પર પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યુ કે મોટાભાગના શબોની ઓળખ થઈ ચૂકી છે. માત્ર 9 શબોની ઓળખ થઈ શકી નથી. તેમણે કહ્યુ કે આ ખૂબ જ દુઃખદ દૂર્ઘટના છે. પીડિત પરિવારો સાથે મારી સંવેદના છે. સમગ્ર દેશ પીડિત પરિવાર સાથે ઉભો છે. તેમણે કહ્યુ કે દૂર્ઘટનની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ચાર સપ્તાહમાં રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યુ છે.

16 કલાક બાદ આવવા પર શું કહ્યુ અમરિંદર સિંહે
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યુ કે મારે કાલે (શુક્રવારે) ઈઝરાયેલ માટે રવાના થવાનું હતુ. એટલા માટે હું દિલ્હી એરપોર્ટ પર હતો. મને એરપોર્ટ પર જ દૂર્ઘટનાની જાણકારી મળી હતી. દૂર્ઘટનાની જાણકારી મળતાં જ હું દિલ્હી એરપોર્ટથી પાછો આવ્યો છુ. ઘાયલોની સ્થિતિ જાણવા અને દૂર્ઘટનાવાળી જગ્યાએ 16 કલાક બાદ આવવા અંગે જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યુ કે જો દરેક વીઆઈપી ઘટના સ્થળે પહોંચશે તો કામ કઈ રીતે થશે. તેમણે જણાવ્યુ કે સરકાર અને પ્રશાસન આખી રાત કામ પર લાગેલુ રહ્યુ.

અમરિંદર બોલ્યા - દૂર્ઘટના પર આરોપ-પ્રત્યારોપનો સમય નથી
અમરિંદર સિંહે કહ્યુ કે દૂર્ઘટના પર આરોપ-પ્રત્યારોપનો સમય નથી. બધા પક્ષોએ આ મુદ્દે એક થવાની જરૂર છે. તેમણે કહ્યુ કે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ જવાબદારી નક્કી થશે. વળી, સીએમ અમરિંદર સિંહની પ્રેસમાં હોબાળાની સ્થિતિ જોવા મળી. ત્યારબાદ સીએમે કહ્યુ બૂમો પાડવાની જરૂર નથી.

અમૃતસરમાં દૂર્ઘટનાવાળી જગ્યા પર પણ ગયા સીએમ અમરિંદર
ઘાયલોની મુલાકાત બાદ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ દૂર્ઘટનાવાળી જગ્યાએ પણ ગયા. આ દરમિયાન અમૃતસર ટ્રેન દૂર્ઘટનાના પીડિતોને વળતર માટે 3 કરોડ રૂપિયા પંજાબ સરકારે જાહેર કર્યા છે. પંજાબ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે મૃતકોના પરિજનોને 5 લાખના વળતરનું એલાન કર્યુ છે.
-
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
Weather News: રાજસ્થાનમાં વધશે ગરમી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત 6 રાજ્યોમાં વરસાદનું એલર્ટ












Click it and Unblock the Notifications
