12 ડિસેમ્બરે પંજાબ કેબિનેટની મહત્વની બેઠક યોજાશે, આ મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે
પંજાબમાં ભગવંત માન સરકાર એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે. હાલમાં જ પંજાબ સરકારે જૂની પેન્શન યોજના બહાલ કરી છે ત્યારે હવે હવે આગામી 12 ડિસેમ્બરે કેબિનેટની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે.
ચંદીગઢ : પંજાબમાં ભગવંત માન સરકાર એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે. હાલમાં જ પંજાબ સરકારે જૂની પેન્શન યોજના બહાલ કરી છે ત્યારે હવે હવે આગામી 12 ડિસેમ્બરે કેબિનેટની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે.

પંજાબની માન સરકાર તેના જલ્દી નિર્ણયો માટે અત્યારે દેશભરમાં ચર્ચામાં છે ત્યારે હવેની 12 ડિસેમ્બરે મળનારી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લઈ શકે છે. મળતી વિગતો અનુસાર, પંજાબ કેબિનેટની મહત્વની બેઠક સોમવાર અને 12 ડિસેમ્બર 2022ના રોજ બપોરે 12 વાગ્યે રાખવામાં આવી છે. આ બેઠક પંજાબ સિવિલ સચિવાલયમાં યોજાશે.
આ બેઠક પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અધ્યક્ષતામાં યોજાશે. મળતી વિગતો અનુસાર, પંજાબ સરકાર કેબિનેટની આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લઈ શકે છે. આ ઉપરાંત કેટલીક મહત્વની બાબતો પર ચર્ચા થવાની પણ સંભાવના છે.
અહીં તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી મોટા વાયદાઓ કરીને પંજાબની સત્તામાં આવી હતી. હવે ભગવંત માન સરકાર તે તમામ વાયદાઓને પુરા કરવા માટે સતત મહેનત કરી રહી છે. આ પહેલા સરકાર, જૂની પેન્શન યોજના, ખેડૂતો, તેમજ સરકારી ભરતી અને વીજળીના બીલને લઈને જાહેરાત કરી ચુકી છે.












Click it and Unblock the Notifications
