ઉત્તરાખંડના શિક્ષણમંત્રી અરવિંદ પાંડેના નાના પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના ફરીદપુરમાં મંગળવારે મોડી રાતે એક દુઃખદ દૂર્ઘટના બની ગઈ.
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના ફરીદપુરમાં મંગળવારે મોડી રાતે એક દુઃખદ દૂર્ઘટના બની ગઈ. ઉત્તરાખંડ ગદરપુરના ભાજપ ધારાસભ્ય તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી અરવિંદ પાંડેના નાના પુત્ર અંકુર પાંડે અને તેમના પારિવારિક મિત્ર મુન્ના ગિરીનું મોત થઈ ગયુ. દૂર્ઘટનાની સૂચના પર પહોંચેલી પોલિસે બંનેના શબને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. વળી, ગંભીર રીતે ઘાયલ એક યુવકને ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.

માહિતી અનુસાર દૂર્ઘટના મંગળવારે મોડી રાતે બરેલીના ફરીદપુર પોલિસ સ્ટેશન વિસ્તારના લખનઉ હાઈવે પર થઈ છે. અહીં પૂર ઝડપે એક ટ્રક અને કારની ટક્કર થઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં અંકુર ખરાબ રીતે ઘાયલ થઈ ગયો ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. અહીં ઈલાજ દરમિયાન અંકુરે દમ તોડી દીધો. દૂર્ઘટનાં અંકુરના સાથી મુન્નાનું પણ મોત થઈ ગયુ છે. હાલમાં અંકુરના શબને તેમના નિવાસ ગૂલરભોજ (ઉધમસિંહ નગર) લાવવામાં આવી રહ્યો છે.
આ તરફ પુત્રના મોતની સૂચના બાદ મંત્રી અરવિંદ પાંડે પણ ગૂલરભોજ માટે રવાના થઈ ગયા છે. મૃતક અંકુર અપરિણીત હતા. તેમના મોત બાદ ઘર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. સવારથી શોક વ્યક્ત કરવા માટે આવાસ પર લોકોની ભીડ થવી શરૂ થઈ ગઈ. જણાવવામાં આવ્યુ કે અંકુર પાંડેની અંત્યેષ્ટિ ગૂલરભોજ સ્મશાન ઘાટ પર આજે સવારે કરવામાં આવશે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
