અણ્ણાએ ફરી ગુલાંટી મારી, દીદીમાં દમ જોવા મળશે નહી તો છોડી દેશે સાથ
નવી દિલ્હી, 14 માર્ચ: સમાજસેવી ગાંધીવાદી નેતા અણ્ણા હઝારે ફરી એકવાર પોતાના નિવેદનથી ગુલાંટ મારી દિધી છે. સમાજસેવી અણ્ણા હઝારેમાં પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી સાથે અંતર બનાવી લીધું છે. દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી રેલીમાં તેમની ગેરહાજરીએ તે વાત તરફ ઇશારો કરી દિધો છે અણ્ણા હઝારે ટૂંક સમયમાં દીદી સાથે અંતર બનાવી લેશે.
અત્યાર સુધી પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીના વખાણ કરતાં થાકતા ન હતા અને લોકસભા ચૂંટણી ખુલ્લુ સમર્થન આપવા મેદાનમાં ઉતરેલા અણ્ણાએ હવે તેમની સાથે અંતર બનાવી લીધું છે.
અણ્ણા હઝારેએ અત્યાર સુધી કોઇપણ પાર્ટીનું સમર્થન કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હવે મમતા બેનર્જી સાથે કોઇ સંબંધ નહી રાખે. દિલ્હી રેલીને લઇને ઉદભવેલા વિવાદ પર અણ્ણા હઝારેએ આરોપ લગાવ્યો છે કે પૂર્વ સાંસદ સંતોષ ભારતીએ મને દગો દિધો છે.

અણ્ણા હઝારેની નારાજગીનું એક એ પણ કારણ છે કે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી ટીએમસીની રેલીમાં મમતા ભીડ એકઠી કરી શકી ન હતી. અણ્ણા હઝારેએ અખ્યું હતું કે ફક્ત 4 હજાર લોકો આવ્યા હતા, એટલા માટે હું રેલીમાં ન ગયો. અત્રે ઉલ્લેખનીય છે કે અણ્ણા હઝારે સાથે સંયુક્ત રેલી આયોજીત કરવાની યોજના બનાવી હતી. પરંતુ રેલીમાં ભીડ જમા થઇ ન હોવાથી તે રેલીમાં સામેલ થઇ ન હતી.
એક સમયે અરવિંદ કેજરીવાલ સાથે મળીને જનલોકપાલ માટે આંદોલન ચલાવનાર અણ્ણા હઝારે પહેલાં કહ્યું હતું કે તે લોકસભાની ચૂંટણીમાં કોઇપણ પક્ષ માટે પ્રચાર કરશે નહી. ત્યારબાદ તેમને પોતાના નિવેદનથી પલટતાં મમતા બેનર્જીને સમર્થન આપવાની જાહેરાત કરી, પરંતુ તે થોડા દિવસોમાં મમતા બેનર્જીનો પણ સાથ છોડી દેશે.
Did You Konw: અણ્ણા હઝારે શરૂઆતથી જ આંદોલનકારી અને ગાંધીવાદી વિચારધારાના છે. તેમને પોતાના ગામ રાલેગણ સિદ્ધિને પોતાના આંદોલનથી દારૂ મુક્ત કરી દિધું અને હવે આખા રાલેગણ સિદ્ધિમાં એક પણ દારૂની દુકાન નથી. અહીં કોઇપણ વ્યક્તિ નશો કરતો નથી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
