કયા કારણોસર થઇ અણ્ણા-કેજરીવાલની તકરાર?
નવી દિલ્હી, 20 નવેમ્બરઃ આજથી બે વર્ષ પહેલા ભારતમાં એક મોટું જનઆંદોલન થયુ હતું, જેનો અવાજ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ ભરના લોકોના કાનો સુધી પહોંચ્યો. એક અનોખા અને મોટા ગૈરરાજકીય આંદોલનના મુખિયા જરૂર અણ્ણા હજારે હતા, પરંતુ તેમનો પડછાયો બનેલા અરવિંદ કેજરીવાલે પણ આંદોલનને સફળ બનાવવામાં કોઇ કસર છોડી નહી, ત્યારબાદ કેજરીવાલ દેશના યુવાઓના નાયક બની ગયા હતા.
પરંતુ આજે એ જ ગુરુ અને ચેલાની જોડીમાં તણાવ શા માટે આવી ગયું છે? ક્યારેક સીડી, સિમ કાર્ડ અથવા તો પૈસાને લઇને બન્ને વચ્ચેની તકરાર સામે આવી રહી છે. જો કે વિચારશિલ વાત એ છે કે આખરે આ બન્ને વચ્ચેના ઝઘડાનુ કારણ શું માત્ર સીડી, સિમ કાર્ડ અથવા તો પૈસા જ છે?
જે પ્રકારે બન્નેનો ઝઘડો સામે આવી રહ્યો છે અને તેને જોઇને લાગતુ નથી કે બન્ને વચ્ચે આ જ કારણે મતભેદ છે. પરંતુ જો અન્ય કારણો છે, તો પછી એ બીજા કારણો છે કયા? રાજકિય પંડીતોની ચર્ચાને માનીએ તો બન્ને વચ્ચેના ઝઘડાનું કારણ પૈસા નથી પરંતુ ઇગો છે. કારણ ગમે તે હોય પરંતુ સત્ય તો એ છે કે આજે અણ્ણા અને કેજરીવાલ મિત્રતાના કારણે નહીં પરંતુ દુશ્મનાવટના કારણે લોકોની વચ્ચે ચર્ચામાં છે, જેનું નુક્સાન અણ્ણાને તો નહીં પરંતુ કેજરીવાલને દિલ્હીની ચૂંટણીમાં થઇ શકે છે.

અણ્ણા-કેજરી આમને સામને
નોંધનીય છે કે, સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ મંગળવારે ઇન્ડિયા અગેંસ્ટ કરપ્શન આંદોલન દરમિયાન એકત્ર થયેલા ઘનને લઇને આમને સામને આવી ગયા.

...તો કેજરીવાલ ચૂંટણીમાંથી બહાર થઇ જશે
હજારેએ પ્રશ્ન ઉઠાવતા સ્પષ્ટ કર્યું કે, તેમને અરવિંદની નિષ્ઠા પર કોઇ શંકા નથી. સામાજિક કાર્યકર્તામાંથી નેતા બનેલા કેજરીવાલે કહ્યું કે, જો એ વાત સાબિત થઇ જાય કે, આઇએસી આંદોલન દરમિયાન એકત્ર કરવામાં આવેલા ઘનનો ઉપયોગ પાર્ટી માટે કરવામાં આવ્યો છે, તો તેઓ ચૂંટણીમાંથી બહાર જશે.

ખાનગી પત્રને સાર્વજનિક કરાયો
મહારાષ્ટ્ર સ્થિત પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં મીડિયા સાથે વાતચીત કરતા હજારેએ આરોપ પ્રત્યારોપને ધ્યાનમાં રાખતા કહ્યું કે, મે ક્યારેય નથી કહ્યું કે અરવિંદ ભ્રષ્ટ છે અથવા તો તે મારા નામ પર ફંડ એકઠું કરે છે. મને થોડીક શંકા છે, તેથી મે તેને પત્ર લખ્યો. આ પત્ર ખાનગી હતો અને તેમણે તેને સાર્વજનિક કરી નાંખ્યો.

12 દિવસના અનશનની ઘટના તરફ અણ્ણાનો ઇશારો
નવી દિલ્હીના રામલીલા મેદામાં 12 દિવસ સુધી ચાલેલા પોતાના આમરણ અનશન તરફ ઇશારો કરતા હજારે એ કહ્યું કે, મને જણાવવામાં આવ્યું હતું કે, ઇન્ડિયા અગેંસ્ટ કરપ્શન આંદોલન દરમિયાન મારા નામ પર માત્ર સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા, જેના વેચાણમાંથી ઘન એકઠું કરવામાં આવ્યું. કોઇએ સિમ કાર્ડ્સને લઇને કોઇએ અદાલતમાં અરજી દાખલ કરી છે.

આઇએસીના ધનને લઇને ઓડિટ કરાવવા તૈયાર
આ તરફ દિલ્હીમાં કેજરીવાલે કહ્યું કે, આઇએસી દરમિયાન એકત્ર ધનનું અનેકવાર ઓડિટ કરવામાં આવ્યુ, હું ફરીથી તપાસ કરાવવા તૈયાર છું, પરંતુ હવે એ જનતા સમક્ષ આવવું જોઇએ. જો હું દોષી જાહેર થઉ તો હું ચૂંટણી નહીં લડું. કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રથી મુખ્યમંત્રી શિલા દીક્ષિત વિરુદ્ધ મેદાનમાં છે.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
