અણ્ણા આજના યુગના મહાત્મા ગાંધી છે તો કેજરીવાલ ભગતસિંહ

અણ્ણા અને કેજરીવાલને આદર્શ માનનારા ત્રણેય કાર્યકર્તાનું કહેવું છે કે અણ્ણા અને કેજરીવાલ વચ્ચે ક્યારેયપણ મતભેદ થઇ શકે નહીં. બન્નેનો રસ્તો અલગ-અલગ છે પરંતુ બન્નેની મુકામ એક જ છે. બન્ને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિસ્વાર્થભાવે લડી રહ્યાં છે.
જે રીતે આઝાદીના દિવસોમાં નરમ-ગરમ દળો અંગે વાંચ્યું છે. તેવી રીતે અણ્ણા અને કેજરીવાલ પણ છે. અણ્ણા શાંતિદૂત છે અને ગાંધીજીની જેમ અંહિસાવાદી છે પરંતુ દેશને ભ્રષ્ટાચારીઓથી આઝાદ કરાવવા ઇચ્છે છે, બીજી તરફ અરવિંદ કેજરીવાલ આજના ભગતસિંહ છે, જે થોડા વધારે આક્રમક છે અને ભગતસિંહની જેમ ઇંટનો જવાબ પથ્થરથી આપવા માંગે છે. જે રીતે ગાંધી અને ભગતસિંહ એકબીજાનું સન્માન કરતાં હતા તેવી રીતે અણ્ણા- કેજરીવાલ પણ એકબીજાનું સન્માન કરે છે. બન્નેને ખબર છે કે બન્નેના ઇરાદા ખોટા નથી. મતભેદની વાતો ખોટી અને પાયાવિહોણી છે જેને બળજબરીપૂર્વક રજૂ કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે સોમવારે સવારે અણ્ણાના અત્યંત નજીક રહી ચુકેલા અરવિંદ કેજરીવાલે દિલ્હીના તિવારી ભવનમા અણ્ણા સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ કેજરીવાલે એટલું કહ્યું કે ભલે તેઓ અણ્ણાજી સાથે નથી પરંતુ એનો અર્થ એ કાઢવો જોઇએ નહીં કે અમારી વચ્ચે મતભેદ છે. અણ્ણા મારા આદર્શ હતા અને રહેશે.
એવા સમાચાર છે કે અણ્ણા સોમવારે પોતાની નવી ટીમની જાહેરાત કરી શકે છે અને આ ટીમની કમાન કિરણ બેદીના હાથમાં હશે, જ્યારે કેજરીવાલ પોતાની નવી રાજકિય પાર્ટીની જાહેરાત મંગળવારે એટલે કે ગાંધી જંયતિના દિને કરશે. કેજરીવાલે જાહેરાત કરી છે કે તે આગામી વર્ષે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડશે અને તમામ બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે. અણ્ણા, કેજરીવાલના રાજકિય પગલાથી ઘણા નારાજ છે અને તેથી તે કેજરીવાલ સાથે નથી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
