For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભ્રષ્ટાચાર સામે પંજાબ સરકારની વધુ એક મોટી કાર્યવાહી, SHOની ધરપકડ.

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ભ્રષ્ટાચારને લઈને મોટી કાર્યવાહી કરાઈ રહી છે. હવે પંજાબ સરકારના વિજિલન્સ બ્યૂરોએ મોટી કાર્યવાહી કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ચંદિગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ભ્રષ્ટાચારને લઈને મોટી કાર્યવાહી કરાઈ રહી છે. હવે પંજાબ સરકારના વિજિલન્સ બ્યૂરોએ મોટી કાર્યવાહી કરી છે.

SHO

મળતી વિગતો અનુસાર, પંજાબ સરકારના વિજિલન્સ બ્યૂરોને હેલ્પલાઈન દ્વારા સતત ફરિયાદો મળે છે. ત્યારે હવે બ્યૂરોએ કાર્યવાહી કરતા ફિરોઝપુર જિલ્લામાં પોસ્ટેડ એસએચઓ રૂપિન્દર પાલ સિંહની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે.

વિજિલન્સ બ્યુરોના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ફિરોજપુર જિલ્લાના કાસૂ બેગ ગામના ફરિયાદી ગગનદીપ સિંહે ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન પર એસએચઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ કહ્યું કે, મેજર સિંહ અને તેના પુત્ર જે તે ગામના રહેવાસી છે, તેમની વિરુદ્ધ કુલગઢી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની તપાસ SHO દ્વારા કરવામાં આવી હતી. તેણે આ મામલે મદદ માટે પોલીસ કેસ ન નોંધાવવાના બદલામાં 80 હજાર રૂપિયાની માંગણી કરી હતી અને 70 હજાર રૂપિયા લાંચ તરીકે લીધા હતા.

હવે પોલીસે આ મામલે કાર્યવાહી કરીને આરોપી એસએસઓની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે ભગવંત માન સરકાર સતત ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી રહી છે.

English summary
Another big action by Punjab Govt against corruption, arrest of SHO.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X