છત્તીસગઢમાં સેના પર વધુ એક નક્સલી હુમલો, 11 જવાન શહિદ
દેશમાં વધુ એક વખત નક્સલીઓએ તેની કરતૂતને અંજામ આપ્યો છે અને આ ઘટનામાં સેનાના 11 જવાનો શહિદ થયા હોવાના અહેવાલ છે. વિગતો અનુસાર, દંતેવાડાના અરનપુરમાં નક્સલી હુમલો થયો છે. નક્સલવાદીઓએ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના જવાનોને ટાર્ગેટ કરીને આ હુમલાને અંજામ આપ્યો છે.
સામે આવી રહેલા સમાચારો અનુસાર, નક્સલીઓએ જવાનોના વાહનને નિશાન બનાવીને IED બ્લાસ્ટથી આ હુમલા કર્યો હતો. હાલ વિસ્તારમાં વધારાની પોલીસ ફોર્સ મોકલવામાં આવી છે. મૃતકોમાં 10 DRG જવાનો અને એક ડ્રાઈવર સામેલ છે.

બીજી તરફ હુમલાને લઈને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું છે કે ઘટનાથી તે ખૂબ જ દુઃખી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. આ લડાઈ હવે અંતિમ તબક્કામાં છે. નક્સલવાદીઓને બક્ષવામાં નહીં. આવે.
Chhattisgarh | IED attack on a vehicle carrying DRG (District Reserve Guard) personnel near Aranpur in Dantewada district. The IED was planted by naxals. pic.twitter.com/3q2I8aSuKw
— ANI (@ANI) April 26, 2023
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, છત્તીસગઢમાં આ પહેલો નક્સલી હુમલો નથી. આ પહેલા કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ બનાવીને મોટા હુમલાને અંજામ અપાયો હતો. આ ઘટનામાં કોંગ્રેસના એક સાથે ઘણા નેતાઓના મોત થયા હતા.
"10 DRG (District Reserve Guard) personnel and one driver killed in IED attack by naxals in Dantewada," tweets Chhattisgarh CM Bhupesh Baghel pic.twitter.com/xoZ1rRhFRt
— ANI (@ANI) April 26, 2023












Click it and Unblock the Notifications
