500-2000 ના નવા નોટ વિશે અરુણ જેટલીએ કર્યો મોટો ખુલાસો
અરુણ જેટલીએ જણાવ્યુ કે વૈકલ્પિક નોટ છાપવાનું કામ ગુપ્ત રીતે ઘણા સમયથી ચાલતુ હતુ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 500 અને 1000 ની નોટના પ્રતિબંધના નિર્ણયને નાણામંત્રી અરુણ જેટલીએ ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે વૈકલ્પિક કરંસીનું છાપકામ ખૂબ જ ગુપ્ત રીતે બહુ પહેલાથી કરવામાં આવી રહ્યુ હતુ.

જેટલીએ પોતાના ઇંટરવ્યૂમાં કહ્યું કે આ નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો થવાનો છે, આ નિર્ણયથી દરેક રાજ્યને પણ ઘણો ફાયદો થશે. લોકો હવે ખરીદ-વેચાણ એક નંબરમાં કરશે જેનો સીધો લાભ રાજ્યોને થશે. આ નિર્ણય સાચી દિશાનો મોટો નિર્ણય છે, જેને બહુ પહેલા લેવાનો હતો, આ નિર્ણય અર્થવ્યવસ્થા પર બહુ મોટી સકારાત્મક અસર પાડશે.
જેટલીના ઇંટરવ્યૂના મુખ્ય અંશ
• હવે 1000 રુપિયાની નોટ નહિ હોય.
• રાજકીય ફંડિંગ આના કારણે આગળ વધશે.
• આ નિર્ણયની એક મોટી રાજકીય અસર એ થશે કે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક બનશે.
• અમે નથી ઇચ્છતા કે હોસ્પિટલ અને અન્ય જગ્યાઓ કાળુનાણુ સફેદ કરવાના અડ્ડા બને.
• જે લોકો એ કહી રહ્યા છે કે થોડો સમય આપવામાં આવવો જોઇએ તે લોકો કાળાનાણાને વ્હાઇટમાં ફેરવવા માંગે છે.
• જે લોકો પાસે 25-50 હજાર રુપિયા છે તેમને કોઇ મુશ્કેલી નહિ નડે, તેઓ પોતાના પૈસા બેંકમાં જમા કરાવી શકે છે.
• જો જમા કરાવેલા પૈસા કાયદેસરના છે તો તેના પર તમારે ટેક્સ આપવો પડશે પરંતુ જો ગેરકાયદેસર હશે તો કાર્યવાહી થશે.
• તમારી પૈસા ગમે તેટલા પૈસા હોય તમે બેંકમાં જમા કરાવી શકો છો પરંતુ તમારે ટેક્સ ચૂકવવો પડશે.
• કેશ મની સપ્લાઇ ઓછી થશે, ઓફિશિયલ ટ્રાંઝેક્શન વધશે, જેનાથી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ પર અસર પડશે.
• જે ક્ષેત્રોમાં એવુ ચાલતુ હતુ કે આટલુ કાચુ હશે, આટલુ પાકુ હશે, આટલુ કેશ આપીશુ, આટલુ બેંકમાંથી આપીશુ, તે બધુ બંધ થશે.
• અર્થવ્યવસ્થાની મદદ માટે બેંકમાં પૈસા વધશે.
• તમને કાળાનાણાથી છૂટકારો મળશે, ભ્રષ્ટાચારથી છૂટકારો મળશે. અન્ય અપરાધોથી છૂટકારો મળશે.
• દેશમાં લોકોને ચેક અને પ્લાસ્ટિક મની દ્વારા કામ કરવાની આદત પડશે.
• નકલી પૈસા, આતંકના પૈસા મોટી નોટોમાં હતા, આ નિર્ણયથી આ બધુ ખતમ થઇ જશે.
• નાની કરંસી તો ચાલતી રહેશે પરંતુ 85% કરંસી 500 અને 1000 રુપિયાની થઇ ગઇ હતી.
• બેંકમાં રાખશો તો પૈસા વધુ સુરક્ષિત રહેશે, તેના પર ટેક્સ પણ નહિ આપવો પડે, વ્યાજ પણ મળશે.
• છેલ્લા ઘણા મહિનાઓથી વૈકલ્પિક કરંસી છપાઇ રહી હતી પરંતુ તે ગુપ્ત હતુ.
• કોઇ પણ પ્રકારની તકલીફ પડશે તે વાત પાયાવિહોણી છે.
• જનધન યોજના પછી દેશમાં લગભગ બધા લોકો પાસે બેંકમાં ખાતુ છે અને જેમની પાસે નથી તે 5 મિનિટમાં બેંક ખાતુ ખોલાવી શકે છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
