અરુણ જેટલીના પાર્થિવ દેહને કાલે ભાજપ મુખ્યાલયે રખાશે બપોરે 2 વાગ્યા બાદ અંતિમ સંસ્કાર
અરુણ જેટલીના પાર્થિવ દેહને કાલે ભાજપ મુખ્યાલયે રખાશે બપોરે 2 વાગ્યા બાદ અંતિમ સંસ્કાર
નવી દિલ્હીઃ રવિવારે કેન્દ્રીય નાણામંત્રી અને સીનિયર ભાજપી નેતા અરુણ જેટલીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ભાજપા મુખ્યાલયમાં રાખવામાં આશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બપોરે બે વાગ્યા બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શનિવારે બપોરે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં અરુણ જેટલીએ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 9 ઓગસ્ટથી એમ્સમાં દાખલ હતા.

ભાજપના નેતા સુધાંશુ મિત્તલ મુજબ રવિવારે બપોરે નિગમબોધ ઘાટ પર જેટલીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રવિવારે સવારે તેમના પાર્થિવ દેહને ભાજપ મુખ્યાલયે લઈ જવામાં આવશે જ્યાં રાજનૈતિક દળોના નેતા તેમને અંતિમ વિદાય આપશે. ભાજપ મુખ્યાલયથી પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે નિગમબોધ ઘાટ લઈ જવામાં આવશે. જેટલીના પરિવારે વિદેશ યાત્રા પર ગયેલ પીએમ મોદીને બધો જ કાર્યક્રમ પૂરો કર્યા બાદ જ દેશ પરત આવવા કહ્યું છે, માટે તેઓ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના અંતિમ સંસ્કારમાં ભાગ નહિ લઈ શકે.
નિધન બાદ આજે જેટલીના પાર્થિવ શરીરને તેમના ઘરે લઈ જવામાં આવ્યું છે. જ્યાં લોકો તેમના અંતિમ દર્શન કરવા આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, દિલ્હના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત કેટલાય નેતાઓએ જેટલીના ઘરે જઈ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
