Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ત્રીજીવાર દિલ્હીના સીએમ બન્યા અરવિંદ કેજરીવાલ, પદ અને ગોપનિયતાના શપથ લીધા

ત્રીજીવાર દિલ્હીના સીએમ બન્યા અરવિંદ કેજરીવાલ, પદ અને ગોપનિયતાના શપથ લીધા

અરવિંદ કેજરીવાલની શપથ વિધિ માટે રામલીલા મેદાન સજાવટ બાદ તૈયાર થઈ ચૂક્યું છે, મેદાનમાં 45000 ખુરશીઓ લગાવવામાં આવી છે, મેદાનમાં અન્ય કેટલાય પ્રકારના ઈંતેજામ પણ કરવામાં આવ્યા છે. ખુદ અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોને ઑડિયો અને વીડિયો મેસેજ દ્વારા સમારોહમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું. અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ઐતિહાસિક મેદાનમાં શપથ લેવા માટે તૈયાર છે, જ્યાં તેઓ અગાઉ બે વખત મુખ્યમંત્રી પદના શપથ લઈ ચૂક્યા છે. શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. હવે ઈંતેજાર છે એ પળનો જ્યારે અરવિંદ કેજરીવાલ ત્રીજીવાર સીએમ પદના શપથ લેશે. દિલ્હીની જે જનતાએ તેમને દિલ્હીની જવાબદારી સોંપી છે, તે આ સમારોહના સાક્ષી બનશે. અહીં મેળવો પળેપળની લાઈવ અપડેટ...

Arvind Kejriwal

Feb 16, 2020, 12:52 pm IST

સ્ટેજ પરથી સીએમ અરવિંદ કેજરીવાલે ગીત ગાયું- હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ, મન મે હૈ વિશ્વાસ...
Feb 16, 2020, 12:50 pm IST

નાના નાના બાળકોના શિક્ષણ માટે હું રૂપિયા ના લઈ શકું, લોકોની મૂળભૂત સુવિધાઓ માટે હું પૈસા ના લઈ શકુંઃ અરવિંદ કેજરીવાલ
Feb 16, 2020, 12:50 pm IST

આજે મારી બંને તરફ દિલ્હીના નિર્માતા બેઠા છે, એક માનો પ્રેમ ફ્રી હોય છે, એક પિતાનો પ્રેમ ફ્રી હોય છે, હું પણ દિલ્હીના લોકોને મારો પ્રેમ ફ્રી આપી રહ્યો છુંઃ અરવિંદ કેજરીવાલ
Feb 16, 2020, 12:50 pm IST

મેં પીએમ મોદીને પણ આમંત્રણ આપ્યું, તેઓ વ્યસ્ત છે, પરંતુ દિલ્હીના વિકાસ માટે મારે તેમના આશિર્વાદ જોઈએઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ
Feb 16, 2020, 12:50 pm IST

કેન્દ્રની સાથે મળી, કેન્દ્રના સહયોગથી દિલ્હીને સુંદર બનાવવાનો પ્રયાસ કરશુંઃ અરવિંદ કેજરીવાલ
Feb 16, 2020, 12:45 pm IST

હું બધા માટે કામ કરીશ, પછી તે કોઈપણ પાર્ટીનો કેમ ના હોય, કોઈપણ ધર્મ, જાતિ કે સમાજથી કેમ ના હોયઃ સીએમ અરવિંદ કેજરીવાલ
Feb 16, 2020, 12:44 pm IST

ચૂંટણી પૂરી થઈ ગઈ છે, તમે કોને વોટ આપ્યો તેનાથી કંઈ ફરક નથી પડતો, હવે બધા દિલ્હીવાસી મારો પરિવાર છેઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ
Feb 16, 2020, 12:43 pm IST

પાછલા 5 વર્ષોમાં દિલ્હીવાસીઓ માટે ખુશીઓ અને રાહત લાવવો જ અમારો એકમાત્ર પ્રયાસ છેઃ અરવિંદ કેજરીવાલ
Feb 16, 2020, 12:42 pm IST

આ જીત મારી નહિ, આ દિલ્હીના દરેક નાગરિકની જીત છે, આ દિલ્હીના દરેક પરિવારની જીત છેઃ અરવિંદ કેજરીવાલ
Feb 16, 2020, 12:38 pm IST

અરવિંદ કેજરીવાલના શફથ ગ્રણમાં પહોંચ્યો છોટે મફલર મેન, પરિણામના દિવસે કેજરીવાલના લુકથી ચર્ચા મેળવી હતી.
Feb 16, 2020, 12:37 pm IST

શપથ ગ્રહણ બાદ સીએમ અરવિંદ કેજરીવાલનું ભાષણ, કહ્યું- દિલ્હીના વિકાસ માટે સતત કોશિશ કરતો રહીશ
Feb 16, 2020, 12:37 pm IST

રાજેન્દ્ર પાલ ગૌતમે પદ અને ગોપનીયતાના શપથ લીધા, દિલ્હીની સીમાપુરી સીટથી તેઓ ધારાસભ્ય છે.
Feb 16, 2020, 12:28 pm IST

ઈમરાન હુસૈને પદ અને ગોપનીયતાના શપથ લીધા, દિલ્હીની બલ્લીમારાન સીટથી તેઓ ધારાસભ્ય છે.
Feb 16, 2020, 12:26 pm IST

કૈલાશ ગેહલોતે પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા, દિલ્હીની નજફગઢ સીટથી તેઓ ધારાસભ્ય છે, પાછલી સરકારમાં પણ મંત્રી હતા.
Feb 16, 2020, 12:25 pm IST

ગોપાલ રાયે પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા, ગોપાલ રાયની ઓળખ વિદ્યાર્થી નેતા તરીકે વધુ સારી રીતે થાય છે, દિલ્હીની બાબરપુર સીટથી તેઓ ધારાસભ્ય છે.
Feb 16, 2020, 12:22 pm IST

સત્યેન્દ્ર જૈને લીધા પદ અને ગોપનીયતાના શપથ, દિલ્હીની શકૂર બસ્ટી સીટથી ધારાસભ્ય છે, પાછલી સરકારમાં પણ તેઓ મંત્રી હતા
Feb 16, 2020, 12:22 pm IST

મનીષ સિસોદિયાએ પદ અને ગોપનિયતાના શપથ લીધા, દિલ્હીની પટપડગંજ સીટથી ધારાસભ્ય છે સિસોદિયા
Feb 16, 2020, 12:18 pm IST

ત્રીજીવાર દિલ્હીના સીએમ બન્યા અરવિંદ કેજરીવાલ, એલજી અનિલ બૈજલે પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા
Feb 16, 2020, 12:17 pm IST

શપથ પહેલા મંચ પર ગવાયું રાષ્ટ્રગાન, હવે સીએમ પદના શપથ લેવા જઈ રહ્યા છે કેજરીવાલ
Feb 16, 2020, 12:07 pm IST

ભાજપે કોઈને વ્હિપ જાહેર નથી કર્યો, જેમણે શપથ સમારોહમાં સામેલ થવું હોય તેઓ થઈ શકે છેઃ બિજેન્દ્ર ગુપ્તા
Feb 16, 2020, 11:36 am IST

અવિંદ કેજરીવાલ રામલીલા મેદાન માટે નિકળી ગયા છે, બપોરે 12.15 વાગ્યે સીએમ પદના શપથ લેશે
Feb 16, 2020, 11:30 am IST

ચારોતરફ નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે.
Feb 16, 2020, 11:29 am IST

દિલ્હી પોલીસ, સીઆરપીએફ સહિત અર્ધસૈનિક બળના 2000થી 3000 જવાનો ચાંદની ચોકની સુરક્ષા માટે તહેનાત
Feb 16, 2020, 10:42 am IST

11.30 વાગ્યે ઘરેથી નિકળશે અરવિંદ કેજરીવાલ, સીધા રામલીલા મેદાન જશે.
Feb 16, 2020, 9:27 am IST

રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ માટે 12 મોટી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી, જેથી ગમે ત્યાંથી સહેલાઈથી શપથવિધિ જોઈ શકાય.
Feb 16, 2020, 8:39 am IST

શપથ ગ્રહણ પહેલા અરવિંદ કેજરીવાલે દિલ્હીના ભાવી મંત્રીઓને પોતાના ઘરે બોલાવ્યા, મંત્રીઓ સાથે ચર્ચા કરી.
Feb 16, 2020, 8:38 am IST

સગીર છોકરીને કિડનેપ થતા બચાવનાર ડીટીસી બસના માર્શલને પણ શપથ ગ્રહણ સમારોહનું નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.
Feb 16, 2020, 8:37 am IST

અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં સ્ટેજ પર 60 લોકો હાજર રહેશે, વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનાર 60 લોકોને આમંત્રિત કર્યા.
Feb 16, 2020, 8:21 am IST

રામલીલા મેદાન પર શપથ ગ્રહણ વિધિની તડામાર તૈયારીઓ
Feb 16, 2020, 8:20 am IST

શપથ ગ્રહણને પગલે રાજઘાટ ચોક અને દિલ્હી ગેટ ચોકથી જેએલએન માર્ગ થતા ગુરુનાનક દેવ ચોક જનાર તમામ કોમર્શિયલ ગાડીઓ અને બસની એન્ટ્રી બંધ રહેશે.
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X