Arvind Kejriwal Bail : અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો, જાણો નિર્ણય ક્યારે?
Arvind Kejriwal Bail : દિલ્હી લીકર પોલીસી કેસમાં અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખતા 10 સપ્ટેમ્બર 2024ના ની તારીખ નક્કી કરી છે. આ તારીખે કોર્ટ નિર્ણય સંભળાવશે.

અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કથિત દારૂ કૌભાંડમાં CBIએ લગભગ બે વર્ષ સુધી તેની ધરપકડ ન કરી અને જ્યારે તેમને ED દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા ત્યારે 26 જૂને તેમની ધરપકડ કરવામાં આવી. તેમના વકીલ અભિષેક સિંઘવીએ કોર્ટને કહ્યું કે તેમની ધરપકડ પહેલા CBIએ કોઈ નોટિસ આપી નથી.
એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં દિલ્હીના સીએમ માટે જામીન માટે વિનંતી કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ બંધારણીય પદ પર છે અને તેમના ભાગી જવાનો કોઈ ખતરો નથી.
એસજી રાજુએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, મને કહેવામાં આવ્યું છે કે કોર્ટે ચાર્જશીટ પર પણ સંજ્ઞાન લીધું છે. આનો અર્થ એ થયો કે પ્રથમ દ્રષ્ટિએ કેસ કરવામાં આવ્યો છે. જો આજે માનનીય ન્યાયમૂર્તિ સીએમ કેજરીવાલને જામીન આપે છે તો તે મનોબળ તોડવાની વાત હશે.












Click it and Unblock the Notifications
