For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલનું આંદોલન પૂર્ણ, આગમી જંગ ફર્રુખાબાદમાં

By Super
|
Google Oneindia Gujarati News

arvind kejriwal
નવીદિલ્હી, 15 ઑક્ટોબરઃ આઇએસીના કાર્યકર્તા અરવિંદ કેજરીવાલે દિલ્હીના સંસદ ભવન રોડ પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને પૂર્ણ કરી દીધું છે અને કહ્યું છે કે પહેલી નવેમ્બરથી ફર્રુખાબાદમાં તે પ્રદર્શન કરશે. કેજરીવાલ અને તેમના કાર્યકર્તા કેન્દ્રીય કાયદા મંત્રી સલમાન ખુર્શીદના રાજીનામાની માંગ પ્રધાનમંત્રીને કરી રહ્યાં હતા. આ સંબંધમાં યુપીએ એ ખુર્શીદના રાજીનામાનો ઇન્કાર કરી દીધો.

કેજરીવાલે સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે, આ ભ્રષ્ટાચારીઓને આસરો આપનારી સરકાર છે. પ્રધાનમંત્રીએ તેના પર જલદી કાર્યવાહી કરવી જોઇએ.
સલમાન ખુર્શીદના ટ્રસ્ટ પર આરોપ છે કે વિક્લાંગોની સહાયતા ઉપકરણ અપાવવા માટે એકઠા કરેલા રૂપિયામાં તેમના ટ્રસ્ટે કૌભાંડ કર્યું છે. કેજરીવાલે કાયદા મંત્રી વિરદ્ધ આરોપ લગાવવામાં આવ્યા બાદ ખુર્શીદના ટ્રસ્ટની અનિયમિતતાના સમાચારો પણ આવી રહ્યાં છે. મીડિયામા આવેલા અહેવાલો અનુસાર ટ્રસ્ટના રેકોર્ડમાં જે વિક્લાંગ લોકોને ઉપકરણ આપવાની વાત 2011માં દર્શાવવામાં આવી છે તેમાના ઘણા લોકો 2009માં મૃત્યું પામ્યા છે.

આ ઉપરાંત અલાવા ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોએ ખુર્શીદને બચાવવા માટે બુલંદ શહેરના વિક્લાંગોની સાઇકલની એક પરેડનું આયોજન કર્યું. જે અંગે એવું કહેવામાં આવ્યું કે, આ પરેડમાં ભાગ લઇ રહેલા લોકોને 2011માં સાઇકલ આપવામાં આવી હતી, પરંતુ વિક્લાંગોનું કહેવું છે કે તેમને ગઇકાલે સાંજે સાઇકલ આપવામાં આવી. આ મામલાની તપાસ માટે અલ્હાબાદની લખનૌ હાઇકોર્ટની બેંચમાં એક યાચીકા પણ દાખલ કરવામાં આવી છે, જેમાં એવી માંગ કરવામાં આવી છે કે મામલાની તપાસ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય.

English summary
India Against Corruption activist Arvind Kejriwal and his team ended his protest. They were trying to make pressure on UPA government to get the resignation of Salman Khurshid.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X