દગાખોર, બિમાર અરવિંદ કેજરીવાલને જેલ ભેગાં કરો: લાલૂ પ્રસાદ યાદવ
અરે અણ્ણાની સાથે પણ કેજરીવાલે ગોટાળો કર્યો, તેમને દગો આપ્યો માટે અણ્ણાએ તેમને પોતાની ટીમમાંથી હાંકી કાઢ્યાં. કેજરીવાલ એક નિષ્કાસિત વ્યક્તિ છે, આપણા દેશમાં લોકોને નેતા બનવાની બિમારી છે, અરવિંદ કેજરીવાલ પણ આ રોગથી પીડાય છે, પરંતુ આનો મતલબ એ નથી કે કોઇપણના વિરૂદ્ધ ગમે તે કહી દો, ગમે તેને ગાળ આપો. લાલૂ યાદવે કહ્યું હતું કે અરે અરવિંદ કેજરીવાલ કોણ છે, તેને કોણે ચૂંટ્યા છે, તેને જેલ ભેગાં કરવા જોઇએ, શું ગાંધી ટોપી લગાવવાથી આદમી નેતા બની જતો નથી.
ઉલ્લેખનીય છે કે બુધવારે સાંજે અરવિંદ કેજરીવાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરી પર આરોપ લગાવ્યો છે કે તેમને ખેડૂતોની લાશ પર પોતાનો ધંધો ઉભો કર્યો છે, પોતાના ધંધા માટે તેમને ખેડૂતોની જમીન પર કબજો મેળવ્યો છે જેથી ખેડૂતો તેમના કારણે આત્મહત્યા કરવા માટે ઉતાવળા થયા છે. જેના જવાબમાં નિતિન ગડકરીએ બધા આરોપોને ખોટાં અને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું હતું કે તે ચિલ્લર છાપ આરોપોને તે ભાવ આપતા નથી.