'કિરણ અને કેજરીવાલ, બંનેએ અણ્ણાનો ઉપયોગ કર્યો'
નવી દિલ્હી, 18 જાન્યુઆરી: કિરણ બેદીના ભાજપમાં સામેલ થવાથી જ્યાં દિલ્હીની ચૂંટણીમાં રસપ્રદ વળાંક આવી ગયો છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસને પણ હવે ભાજપ અને આપ પર પ્રહાર કરવા માટે નવો મસાલો મળી ગયો છે. અજય માકનના નેતૃત્વમાં કોંગ્રેસ દિલ્હીની ચૂંટણી લડવા જઇ રહી છે. સદર બજાર ચૂંટણી વિસ્તારથી ચૂંટણી લડવા જઇ રહેલા અજય માકને કિરણ બેદી અને અરવિંદ કેજરીવાલને તકવાદી ગણાવ્યા.

માકને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે 'કિરણ-કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેઓ ક્યારેય પણ ચૂંટણી રાજનીતિમાં સામેલ નહી થાય, પરંતુ તેમણે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો ઉપયોગ પોતાની મહત્વકાંક્ષાઓની પૂર્તિ માટે કર્યો.'















Click it and Unblock the Notifications
