Arvind Kejriwal : અરવિંદ કેજરીવાલને રાહત નહીં, 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. દિલ્હી લીકર પોલીસી કેસમાં કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
દિલ્હી લિકર પોલિસી કેસમાં તિહાર જેલમાં બંધ આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલને સીબીઆઈની વિશેષ અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે.

સીબીઆઈએ અરવિંદ કેજરીવાલની 3 દિવસની સીબીઆઈ કસ્ટડી સમાપ્ત થયા બાદ 14 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી. રાઉઝ એવન્યુની વિશેષ સીબીઆઈ કોર્ટે અરવિંદ કેજરીવાલને 12 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા છે.
અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા 26 જૂને ધરપકડ કરવામાં આવી હતી. તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ ત્રણ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલાયા હતા. સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ કરી ત્યારે તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરવામાં આવી રહેલી દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કસ્ટડીમાં હતા.
કોર્ટમાં સુનાવણી પૂરી થયા બાદ અરવિંદ કેજરીવાલના વકીલ હૃષિકેશ કુમારે જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલની કસ્ટડી સમાપ્ત થઈ રહી હતી. સીબીઆઈએ તેમને કોર્ટમાં રજૂ કર્યા અને વધુ કસ્ટડીની માંગ કરી ન હતી, પરંતુ તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની માંગ કરી હતી, જેનો અમે વિરોધ કર્યો હતો. અમારી અને સીબીઆઈની વાત સાંભળ્યા બાદ કોર્ટે અરવિંદ કેજરીવાલને 14 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલી દીધા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
