ભાજપ સાંસદે કહ્યુ, "સિસોદિયા અને જૈન સામે બેસીને આલુના પરોઠા ખાય છે કેજરીવાલ"
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના ત્રણ કેબિનેટ મંત્રીઓ સાથે છ દિવસોથી એલજીના ઘરે ધરણા પર બેઠા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના ત્રણ કેબિનેટ મંત્રીઓ સાથે છ દિવસોથી એલજીના ઘરે ધરણા પર બેઠા છે. મુખ્યમંત્રી કેજરીવાલ ધરણા પર બેઠા છે. વળી, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ભૂખ હડતાળ કરી રહ્યા છે. વળી, આ ધરણા અંગે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાકયુદ્ધ જામ્યુ છે. આ ધરણાને લઈને ભાજપ સાંસદે અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો છે.
કેજરીવાલને બેશરમ નેતાનો ઓસ્કર એવોર્ડ
દિલ્હીના ભાજપ સાંસદ પરવેશ સાહિબ સિંહે કેજરીવાલ પર હુમલો બોલતા કહ્યુ કે કેજરીવાલ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈનને ભૂખ હડતાળ પર બેસાડી તેમની સામે આલુના પરોઠા ખાય છે. તેમણે વ્યંગ કરતા ટ્વિટ કર્યુ છે. જેમાં કહ્યુ છે કે કેજરીવાલને બેશરમ નેતાનો ઓસ્કર એવોર્ડ આપવો જોઈએ.
ભાજપ સાંસદનો કેજરીવાલ પર હુમલો
પરવેશ સાહિબ સિંહે અરવિંદ કેજરીવાલ પર હુમલો કરતા ટ્વિટ કર્યુ, 'Oscar for most shameless goes to- keju. મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈનને ભૂખ હડતાળ પર બેસાડી તેમની સામે બેસીને આલુના પરોઠા ખાય છે કેજરીવાલ. અને પછી ટ્વિટ કરે છે - એ બંને બિલકુલ ઠીક છે. હજુ તો માત્ર 4 દિવસથી બેઠા છે. આ બંને તો ગયા.'
|
‘તમે કરો તો ચમત્કાર અમે કરીએ તો અત્યાચાર'
બીજા ટ્વિટમાં ભાજપના સાંસદે કહ્યુ છે, ‘કેજરીવાલ અને તેમના વિશિષ્ટ મંત્રીઓના હિસાબે જો મુખ્યમંત્રી પાસેથી પાણી માંગવુ, તેમને કામ પર બોલાવવા ગુંડાગીરી છે... તો એલજી ઓફિસમાં દિલ્હીને ભૂલાવીને તેમની સમસ્યાઓને ભૂલાવીને પડ્યા રહેવુ શું છે? તમે કરો તો ચમત્કાર અમે કરીએ તો અત્યાચાર?... અમે કરી રહ્યા સત્યાગ્રહ તમને કરી રહ્યા છે આગ્રહ.'
કેજરીવાલ એલજીના ઘરે ધરણા પર બેઠા છે
તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ એલજીના ઘરે ધરણા પર બેઠા છે અને તેમનું કહેવુ છે કે આઈએએસ ઓફિસર દિલ્હીના એલજી અને કેન્દ્ર સરકારના ઈશારા પર કામ કરે છે. આ અંગે છેલ્લા 6 દિવસોથી ઘમાસાણ મચેલુ છે.