For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલની પાર્ટીમાં ના કોઇ રાજા, ના કોઇ વજીર

|
Google Oneindia Gujarati News

arvind-kejriwal
નવીદિલ્હી, 24 નવેમ્બર: ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના કાર્યકર્તામાંથી રાજનેતા બનેલા અરવિંદ કેજરીવાલ આગામી ત્રણ દિવસોમાં પોતાની પાર્ટીનું નામ જાહેર કરે તેવી શક્યતા છે. તેમની પાર્ટીની ખાસ વાત એ હોઇ શકે છે કે તેમાં કોઇ અધ્યક્ષ નહીં હોય અને ના તો કોઇ મહાસચિવની પોસ્ટ હશે. તેમની પાર્ટીમાં દરેક મહત્વપૂર્ણ હશે. તેમનીમાં નિર્ણય રાષ્ટ્રીય કાર્યકારિણી લેશે અને તેના સમનવય માટે માત્ર એક રાષ્ટ્રીય સંયોજક હશે. આમ જોઇએ તો કેજરીવાલ અને વામપંથી બન્નેની પાર્ટીમાં ઘણી સમાનતા જોવા મળે છે.

કેજરીવાલે પહેલા પોતાની પાર્ટીની જાહેરાત વખતે કહ્યું હતું કે તેમની પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી હશે અને તે સામાન્ય લોકોના સપના પૂરા કરશે, તેમની પાર્ટીમા ના કોઇ વઝીર હશે ના કોઇ વજીર. આજથી કેજરીવાલની ટીમ ત્રણ દિવસો સુધી કાર્યક્રમ કરશે. જેમાં અંદાજે સેંકડોની સંખ્યામાં લોકો શામેલ થાય તેવી આશા છે. એવું પણ કહેવામાં આવે છે કે, અરવિંદ કેજરીવાલે પાર્ટીનું નામ આમ આદમી હોઇ શકે છે. કેજરીવાલ આગામી વર્ષમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ મોર્ચો ખોલનારા છે.

નોંધનીય છે કે અણ્ણાના અર્જુન તરીકે ઓળખાતા અરવિંદ કેજરીવાલે સમાજસેવક અણ્ણા હજારે સાથે મળીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનની શરૂઆત કરી હતી, પરંતુ વૈચારિક સ્તર પર મતભેદ હોવાના કારણે બન્નેએ પોતાના માર્ગ બદલી લીધા. અણ્ણાને રાજકારણથી દૂર રહીને ભ્રષ્ટાચાર વિરુદ્દની લડાઇ લડવી હતી અને કેજરીવાલે કહ્યું કે દેશની સ્થિતિ જણાવી રહી છે કે ભ્રષ્ટાચારનો સફાયો રાજકારણમાં ઉતર્યા વગર નહીં કરી શકાય.

English summary
Arvind Kejriwal's party to be launched on Monday. Kejriwal was noncommittal about contesting the forthcoming elections in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X