કોંગ્રેસને લઈ અરવિંદ કેજરીવાલે આપ્યું મોટું નિવેદન, બદલી શકે છે 2019નું ગણિત
કોંગ્રેસને લઈ અરવિંદ કેજરીવાલે આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને આગામી લોકસભા ચૂંટણીને પગલે ચેતવણી આપી છે. કેજરીવાલે લોકોને કહ્યું કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને વોટ ન આપે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે માનવામાં આવી રહ્યું હતું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન માટે ચર્ચા કરી રહી છે અને બંને પાર્ટી વચ્ચે લોકસાભા ચૂંટણી પહેલા ગઠબંધન થઈ શકે છે કકરોલામાં એક કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધન કરતી વખતે કેજરીવાલે કહ્યું કે લોકોએ ભાજપને વોટ ન આપવો જોઈએ, તેમણે તમામ સાત ભાજપી સાંસદો પર આરોપ લગાવ્યો છે કે તેમણે દિલ્હીનો કંઈ વિકાસ જ નથી કર્યો.

કોંગ્રેસને વોટ આપવાથી મોદી મજબૂત થશે
કેજરીવાલે કહ્યું કે તમે કોંગ્રેસને પણ બિલકુલ વોટ ન આપતા. જો તમે કોંગ્રેસને વોટ આપશો તો તેનાથી પણ નરેન્દ્ર મોદીના હાથ મજબૂત થશે. તમારા વોટ વહેંચાવા ન દો, તમામ વોટ દિલ્હીમાં AAPના સાત લોકસભા ઉમેદવારને આપો. કેજરીવાલનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કેમ કે માનવામાં આવી રહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે, જેનાથી ભાજપને સત્તામાંથી દૂર કરી શકાય. બંને પાર્ટીએ ગઠબંધનની કોઈપણ સંભાવનાઓથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

ગઠબંધન પર ગોપાલ રાયનું નિવેદન
AAPના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે તાજેતરમાં જ કહ્યું હતું કે પાર્ટીની પોલિટિકલ અફેર કમિટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓની સલાહ લીધા બાદ દિલ્હી, પંજાબ અને હરિયાણામાં 15 જાન્યુઆરી બાદ ગઠબંધન પર ફેસલો લેશે અને કેન્દ્રીય નેતૃત્વના ફેસલાનો સ્વિકાર કરશે.

33 સીટ પર ચૂંટણી લડશે
જેવી રીતે કેજરીવાલે લોકોને અપીલ કરી તે બાદ માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા જ હાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીએ ફેસલો લીધો છે કે તેઓ દિલ્હી, પંજાબ, હરિયાણા, ગોવા અને ચંદીગઢની 33 સીટ પર ચૂંટણી લડશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
