આજે જનતાની અદાલત વચ્ચે જશે અરવિંદ કેજરીવાલ, AAPએ કર્યો મોટો દાવો
Arvind Kejriwal: મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ હવે જનતાની અદાલત યોજીને લોકો વચ્ચે જશે.
અરવિંદ કેજરીવાલ દ્વારા રવિવારના રોજ જંતર-મંતર ખાતે પ્રથમ જન અદાલતનું આયોજન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, આ જન અદાલતમાં અરવિંદ કેજરીવાલ સામાન્ય લોકો સાથે વાતચીત કરશે, અને તેમને લોકો વચ્ચે પોતાનો વિશ્વાસ સાબિત કરશે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિલીપ પાંડેએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ અરવિંદ કેજરીવાલને તેની એજન્સીઓ દ્વારા ખોટા આરોપો લગાવીને ધરપકડ કરી હતી.
કારણ કે, તેઓ વીજળી, પાણી, શાળા, હોસ્પિટલ, મહોલ્લા ક્લિનિક, વૃદ્ધો માટે યાત્રા, મહિલાઓ માટે બસ મુસાફરી અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગતા ન હતા.

ભાજપ દિલ્હીના વિકાસને રોકવા માંગે છે. આ પછી પણ આમ આદમી પાર્ટીની કેજરીવાલ સરકારે એક પણ કામ અટકવા દીધું નથી.
દિલીપ પાંડેએ જણાવ્યું હતું કે, તેમની પ્રામાણિકતા સાબિત કરવા માટે, તેમણે પૂર્ણ બહુમતી સાથે સત્તા જીત્યા પછી પણ રાજીનામું આપ્યું હતું.
હવે અરવિંદ કેજરીવાલ જનતાની વચ્ચે જશે. જેની શરૂઆત રવિવારે બપોરે 12 કલાકે જંતર-મંતરથી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દિલ્હીના લોકો જંતર મંતર પહોંચશે.












Click it and Unblock the Notifications
