દેશ કોણ ચલાવે છે, કોંગ્રેસ કે રિલાયન્સ?: કેજરીવાલ
કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે 2001માં રિલાયન્સ મનમાની કરતું આવ્યુ છે. રિલાયન્સે જ્યારે ગેસને ઓછી કિંમતે વેંચવાનો ઇન્કાર કર્યો ત્યારે સરકારે રિલાયન્સને મો માંગી કિંમતમાં આપવામાં રાજી થઇ ગયા. આખરે સરકારે રિલાયન્સના કોન્ટ્રાક્ટને રદ કેમ નથી કર્યો.
નોંધનીય છે કે રિલાયન્સના ગેસની કિંમત 14.25 રૂપિયા સુધી વધારી દેવામાં આવી. પેટ્રોલિયમ મંત્રી જયપાલ રેડ્ડીએ તેનો વિરોધ કર્યો તો તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા. એટલું જ નહીં પરંતુ રેડ્ડીએ રિલાયન્સ પર 7 હજાર કરોડનો દંડ ફટકારવાની પણ વાત કરી હતી. ત્યાર બાદ તેમની સાથે શું થયું છે તે બધા જાણે છે. તેમને ઇમાનદારીની સજા સંભળાવવામાં આવી છે.
બીજી તરફ, રિલાયન્સે બ્લેકમેઇલિંગ કરીને ગેસનું ઉત્પાદન ઘટાડી દીધું અને તેની મનમાનીથી ગેસ આધારિત ઘણા પ્લાન્ટ બંધ કર્યાં છે. રિલાયન્સનો વિરોધ કરવા બદલ મણીશંકર ઐયરને પણ હટાવવામાં આવ્યા. ત્યારબાદ મુરલી દેવરાએ રિલાયન્સના તમામ કોન્ટ્રાક્ટ પાસ કર્યા. સીએજીએ પણ રિલાયન્સના સૌદા પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
આ સાથે ટીમ કેજરીવાલે આરોપ લગાવ્યા કે કેબિનેટની રચનામાં નીરા રાડિયાની દખલગીરી હોવાનું કહ્યું છે. પોતાના દાવાઓની પૃષ્ટિમાં તેમણે એક ઓડિયો ટેપ પણ પત્રકાર પરિષદ દરમિયાન સંભળાવી. તેમણે રાડિયા અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીના જમાઇ રંજન ભટ્ટાચાર્યની વાતચીત પણ સંભળાવી.