નીતિશ કુમારે જેડીયુ અધ્યક્ષ બનતા જ રામ મંદિરને લઈને સ્ટેન્ડ સાફ કર્યુ, જાણો ઉદ્ધાટનમાં હાજરી આપશે કે નહીં?
રામ મંદિરને લઈને રાજનીતિ તેજ થઈ રહી છે ત્યારે હવે જેડીયુ તરફથી નિવેદન સામે આવ્યુ છે. નીતિશ કુમારે પાર્ટીની કમાન સંભાળતા જ મંદિર ઉદ્ધાટનમાં હાજરીને લઈને મોટુ નિવેદન આપ્યુ છે.
જેડીયુ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે, જો આમંત્રણ આવશે તો અમારી પાર્ટી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા રામ મંદિરમાં આયોજિત સમારોહમાં કોઈપણ સંકોચ વિના હાજરી આપશે.

જેડીયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું છે કે, અમને હજુ સુધી આમંત્રણ આપવામાં આવ્યું નથી, પરંતુ જો આમંત્રણ મળશે તો અમારી પાર્ટી કોઈપણ સંકોચ વિના તેમાં ભાગ લેશે.
જણાવી દઈએ કે શરૂઆતના તબક્કામાં નીતીશ કુમાર અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળના NDAનો હિસ્સો બન્યા ત્યારે તેમના જેવા સહયોગીઓની માંગ પર બીજેપીના ત્રણ મુખ્ય મુદ્દા- રામ મંદિર, કલમ 370 અને યુનિફોર્મ સિવિલ કોડને એજન્ડામાંથી બહાર રાખવા પડ્યા હતા.
કેસી ત્યાગીને રામ મંદિર પર નીતિશની પાર્ટીના બદલાયેલા સ્ટેન્ડ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તે સમયે આ મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો. પરંતુ, જ્યારે સુપ્રીમ કોર્ટમાંથી નિર્ણય આવી ગયો છે ત્યારે રામ મંદિર પર સવાલ ઉઠાવવાનો સવાલ જ નથી.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, જેડીયુનો એક હિસ્સો એવા ઈન્ડિયા બ્લોકની રચના નીતીશની પહેલ પર કરવામાં આવી હતી. જેમાં સીપીએમ જેવી પાર્ટીઓએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં જવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. અન્ય કેટલાક સાથીઓએ પણ આ અંગે નકારાત્મક વલણ અપનાવ્યું છે.
કોંગ્રેસ હજુ સુધી પોતાનું સ્ટેન્ડ સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી શકી નથી. આ સ્થિતિમાં, તે કાર્યક્રમમાં ભાગ લેવા અંગે જેડીયુનું સકારાત્મક નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યુ છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
