NPR-NRC લાવ્યા તો અહીં જ શાહીન બાગ ઉભુ કરી દઈશુ, બારાબંકીમાં ઓવૈસીએ આપી ચેતવણી
કૃષિ કાયદાની વાપસી બાદ હવે સીએએ કાયદો પણ પાછો લેવાની માંગ જોર પકડવા લાગી છે.
બારાબંકીઃ કૃષિ કાયદાની વાપસી બાદ હવે સીએએ કાયદો પણ પાછો લેવાની માંગ જોર પકડવા લાગી છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે ચેતવણી આપી કે જો સરકાર એનપીઆર અને એનઆરસી કાયદો લાવશે તો અમે બીજુ એક નવુ 'શાહીન બાગ' ઉભુ કરી દઈશુ. તમને જણાવી દઈએ કે નાગરિકતા સુધારા બિલ(સીએએ) સામે દિલ્લીના શાહીન બાગમાં ઘણા દિવસો સુધી વિરોધ પ્રદર્શન ચાલ્યુ હતુ જેમાં હજારો લોકો ધરણા પર બેઠા હતા.

ઓવૈસીએ આપી બીજુ શાહીન બાગ ઉભુ કરવાની ધમકી
ઓવૈસીએ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક જનસભાને સંબોધિત કરીને કેન્દ્રની મોદી સરકારને બીજુ શાહીન બાગ ઉભુ કરવાની ચેતવણી આપી છે. ઓવૈસીએ કહ્યુ, 'જો તે એનપીઆર અને એનઆરસી કાયદા બનાવશે તો અમે રસ્તા પર ઉતરીશુ અને બીજુ એક શાહીન બાગ સામે આવશે.' જો કે આ સાથે જ તેમણે પીએમ મોદીને સીએએ પાછુ લેવાની અપીલ પણ કરી.
પીએમ મોદીને કરી સીએએ પાછુ લેવાની અપીલ
ઓવૈસીએ કહ્યુ, 'હું પીએમ મોદી, ભાજપને સીએએને કૃષિ કાયદાની જેમ પાછો લેવાની અપીલ કરુ છુ કારણકે આ બંધારણ વિરુદ્ધ છે...જો તે એનપીઆર અને એનઆરસીનો કાયદો બનાવશે તો અમે રસ્તા પર ઉતરીશુ અને બીજુ એક શાહીન બાગ અહીં આવશે.'












Click it and Unblock the Notifications
