અમિત શાહ ગૃહમંત્રી છે, ભગવાન નહિ, આંગળી ઉઠાવીને અમને ધમકાવે છેઃ ઓવૈસી

લોકસભામાં સોમવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (સુધારો) બિલ 2019 પર ચર્ચાના સમયે ગૃહમંત્રી અમિત શાહ અને એઆઈએમઆઈએમ પ્રમુખ અને હૈદરાબાદથી સાંસદ અશદુદ્દીન ઓવૈસી વચ્ચે તીખી નોંકઝોંક જોવા મળી હતી.

લોકસભામાં સોમવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (સુધારો) બિલ 2019 પર ચર્ચાના સમયે ગૃહમંત્રી અમિત શાહ અને એઆઈએમઆઈએમ પ્રમુખ અને હૈદરાબાદથી સાંસદ અશદુદ્દીન ઓવૈસી વચ્ચે તીખી નોંકઝોંક જોવા મળી હતી. ઓવૈસીએ વારંવાર ભાજપના સાંસદ સત્યપાલ મલિકને ટોકવા માટે બંને વચ્ચે ચર્ચા થઈ. આ દરમિયાન ઓવૈસીએ શાહને કહ્યુ કે તમે ડરાવો નહિ, જેના પર શાહે પલટવાર કરતા કહ્યુ કે તે ડરાવી નથી રહ્યા પરંતુ તો ડર મનમાં હોય તો શું કરી શકાય. સંસદની બહાર રિપોર્ટરો સાથે વાતચીત કરતી વખતે ઓવૈસીએ અમિત શાહ પર પલટવાર કર્યો.

ઓવૈસીનો શાહ પર પલટવાર

ઓવૈસીનો શાહ પર પલટવાર

અસદુદ્દીન ઓવૈસીએ સંસદની બહાર મોદી સરકાર પર હુમલો કરતા કહ્યુ કે જે કોઈ પણ ભાજપના નિર્ણયોનું સમર્થન નથી કરતા તે તેમને દેશદ્રોહી કરે છે. શું તેમણે નેશનલ અને એન્ટી નેશનલની દુકાન ખોલી છે? અમિત શાહ પર પલટવાર કરતા તેમણે કહ્યુ કે તે પોતાની આંગળી ઉઠાવીને અમને ધમકી આપે છે પરંતુ તેમણે સમજવુ જોઈએ કે તે માત્ર એક ગૃહમંત્રી છે, ભગવાન નથી. તેમણે પહેલા નિયમો વાંચવા જોઈએ.

લોકસભામાં થઈ નોંકઝોક

લોકસભામાં થઈ નોંકઝોક

એનઆઈએ સુધારા બિલ પર ચર્ચાના સમયે બંને વચ્ચે તીખી નોંકઝોંક થઈ. જ્યારે ભાજપ સાંસદ સત્યપાલ સિંહ આ ચર્ચા પર બોલી રહ્યા હતા ત્યારે ઓવૈસીએ વારંવાર તેમને ટોક્યા. આનાથી નારાજ થઈને શાહ પોતાની સીટ પરથી ઉઠ્યા અને હસ્તક્ષેપ કર્યો. તેમણે ઓવૈસીને કહ્યુ કે સાંભળવાની પણ આદત પાડો ઓવૈસી સાહેબ, આ રીતે નહિ ચાલે, સાંભળવુ પડશે. જ્યારે રાજા સાહેબ બોલી રહી હતા ત્યારે કેમ ઉભા ના થયા. આના પર ઓવૈસીએ શાહને કહ્યુ કે તમે ગૃહમંત્રી છો તો મને ડરાવશો નહિ, હું ડરવાનો નથી. શાહે ઓવૈસીને જવાબ આપતા કહ્યુ કે કોઈને ડરાવવામાં નથી આવી રહ્યા પરંતુ જો ડર મનમાં હોય તો શું કરી શકાય.

ઓવૈસીએ કેમ કર્યો હસ્તક્ષેપ

એનઆઈએ સુધારા બિલ પર ચર્ચાના સમયે જ્યારે ભાજપના સાંસદ સત્યપાલ સિંહ બોલી રહ્યા હતો ત્યારે એઆઈએમઆઈએમ પ્રમુખ ઓવૈસીએ વારંવાર તેમને ટોક્યા. સત્યપાલ સિંહે કહ્યુ કે જ્યારે આપણે માલેગાંવ વિશે બોલીએ છીએ ત્યારે આપણે હૈદરાબાદ વિસ્ફોટો વિશે પણ બોલવુ જોઈએ. તેમણે કહ્યુ કે હૈદરાબાદના પોલિસ કમિશ્નરને રાજ્યના મુખ્યમંત્રીએ તપાસ દરમિયાન બદલવાની ધમકી આપવામાં આવી હતી. તેમણે ત્યારે ધમાકા મામલે લઘુમતી સમાજથી આવતા શંકાસ્પદોને પકડ્યા હતા. આના પર એએમઆઈએમ પ્રમુખે હસ્તક્ષેપ કર્યો અને કહ્યુ કે ભાજપ સાંસદ આના પુરાવા પટલ પર રાખી શકે છે. ઉલ્લેખનીય છે કે એનઆઈએ સુધારા બિલ સોમવારે પાસ થઈ ગયુ. આના પક્ષમાં 273 અને વિપક્ષમાં માત્ર 9 મત પડ્યા. સુધારા સામે વિપક્ષના બધા પ્રસ્તાવ પડી ગયા.

અસદુદ્દીન ઓવૈસીએ કર્યો વિરોધ

અસદુદ્દીન ઓવૈસીએ કર્યો વિરોધ

એનઆઈએ સુધારા બિલ પર ચર્ચા કરતી વખતે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે સરકાર કેમ અજમેર સમજૂતી ધમાકામાં અપીલ નથી કરતી. તેમણે કહ્યુ કે ધારણા એ છે કે પીડિત જો મુસ્લિમ છે અને આરોપી બિન મુસ્લિમ છે તો સરકાર કંઈ નહિ કરે. વળી, શાહે ચર્ચામાં ભાગ લેતા કહ્યુ કે પોટાને હટાવવાનું નહોતુ. આ કારણથી જ વર્ષ 2004થી 2008 સુધી દેશમાં આતંકવાદ સતત વધ્યો અને પછી યુપીએને જ એઆઈએની રચના કરવી પડી. તેમણે જોર આપીને કહ્યુ કે જો દેશમા પોટા હોત તો કદાચ મુંબઈમાં 26/11 ન હોત. અમિત શાહે કહ્યુ કે કાર્યવાહી કરતા સમયે કોઈનો ધર્મ નથી જોવામાં આવતો અને જોવો પણ ના જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X