'સ્મશાન બન્યુ કેદારનાથ, લાશો વચ્ચે વિતાવી રાત'
નવી દિલ્હી, 20 જૂનઃ કુદરતના કહેરથી બચીને બિહારના પૂર્વ સ્વાસ્થ્યમંત્રી અશ્વિની ચૌબે ઉત્તરાખંડથી પરત આવી ગયા છે અને તેમની આપવીતી જણાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, કેદારનાથમાં ભારે વિનાશ થયો છે અને પ્રશાસન તરફથી કંઇ ખાસ કરવામાં આવ્યું નથી.
તેમણે એમ પણ કહ્યું કે, માત્ર કેદારનાથમાં જ 15થી 20 હજાર લોકોના મોત નીપજ્યાં હોવાની આશંકા છે. નોંધનીય છે કે પૂર્વ મંત્રી અશ્વિની ચૌબે પોતાના પરિવાર સાથે કેદારનાથના દર્શને ગયા હતા, પરંતુ તે પૂરમાં ફસાઇ ગયા હતા.
કેદારનાથથી સહીસલામત પરત ફર્યા બાદ ચૌબેએ દહેરાદૂનમાં કહ્યું કે ભારે વિનાશ છતાં સરકારે વધારે કંઇ ખાસ કરી રહી નથી અને તે પોતાના દમ પર પરત ફર્યાં છે. તેમનું કહેવું હતું કે કેદારનાથ મંદિર પરિસરમાં લાશો જ લાશો છે.

સ્મશાન બન્યુ કેદારનાથ
અશ્વિની ચૌબેએ કહ્યું કે, કેદારનાથ મંદિર સ્મશાનમાં ફેરવાઇ ગયું છે. મે અને મારા પરિવારે લાશો વચ્ચે બે દિવસ વિતાવ્યા છે. ઘણા લોકોએ ત્રણ દિવસ પછી સુવિધાઓના અભાવમાં દમ તોડી દીધો, ત્યાં દવા, કપડાં અને ખાવાની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી.

સરકાર પર ગંભીર આરોપ
ચૌબેએ ઉત્તરાખંડ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, સરકારને પહેલાંથી ખબર હતી કે મોસમ ખરાબ થવાનું છે, પરંતુ તેમ છતાં જનતા સુધી તેની સૂચના પહોંચાડવામાં આવી નથી. તેમણે કહ્યું કે, આવી સરકાર શા કામની જે જનતાને મોતના મોમાં ધકેલી દે. આ વચ્ચે, ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે માંગ કરી છે કે, ઉત્તરાખંડ વિનાશને રાષ્ટ્રીય આફત જાહેર કરવામાં આવે.

રેસ્ક્યુ ઓપરેશનમાં અડચણો
કેદારનાથમાં પહેલા કુદરતે કહેર વરસાવ્યો અને હવે ખરાબ હવામાનના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં અડચણો ઉભી થઇ રહી છે. રાહતના સમાચાર એ છે કે કેટલાક સ્થળો પર મોસમ સારું હોવાના કારણે હેલિકોપ્ટરની મદદથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યાં છે. સરકારી આંકડા અનુસાર પ્રદેશમાં મૃતકોની સંખ્યા 150 સુધી પહોંચી ગઇ છે. હજુ પણ આ વિસ્તારમાં 62 હજાર જેટલા લોકો ફંસાયેલા છે.

કેદારનાથમાં ભારે વિનાશ
કેદારનાથમાં ભારે વિનાશ
-
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
