લોકોએ અમને આશીર્વાદ આપ્યા, આસામમાં ફરીથી બનશે ભાજપની સરકારઃ CM સર્બાનંદ સોનોવાલ
આસામના મુખ્યમંત્રી રહેલ સર્બાનંદ સોનોવાલને પોતાની જીતનો વિશ્વાસ હતો. જાણો તેમણે શું કહ્યુ.
ગુવાહાટીઃ દેશના 5 રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીના આજે પરિણામો આવ્યા. વર્તમાન સમયમાં સર્વાધિક રાજ્યોની સત્તા પર બેઠેલ ભાજપને આ પાંચમાંથી એકમાં જીત મળી છે. આ રાજ્ય છે આસામ. આસામમાં ભાજપ સતત સરકાર બનાવી રહ્યુ છે. આસામના મુખ્યમંત્રી રહેલ સર્બાનંદ સોનોવાલને પોતાની જીતનો વિશ્વાસ હતો. રૂઝાનોમાં આગળ હોવાનો ઉલ્લેખ કરીને આજે સવારે તેમણે કહ્યુ કે જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે. ટ્રેન્ડ અમારા પક્ષમાં છે. ભાજપની ફરીથી સરકાર બનશે. સર્બાનંદ સોનોવાલે પત્રકારોને કહ્યુ કે, 'આસામ વિધાનસભા ચૂંટણી પરિણામ 2021, જનતાના ભાજપને આશીર્વાદ છે. અમે એ સુનિશ્ચિત કરી શકીએ છે કે આસામમાં ભાજપની સરકાર બનાવીશુ.'

એ પૂછવા પર કે શું સત્તાધારી ગઠબંધન 100 સીટો મેળવવામાં સક્ષમ હશે જેવુ કે ચૂંટણી પહેલા ભગવા જૂથે દાવો કર્યો હતો તેના પર સર્બાનંદે કહ્યુ, 'રુઝાન સંપૂર્ણપણે ભાજપના પક્ષમાં છે. પાર્ટી પોતાનુ લક્ષ્ય મેળવી લેશે. જો કે હતુ છેલ્લા ગણતરી સુધીની રાહ જોવી પડશે. અને અમે ફાઈનલ રિઝલ્ટની રાહ જોઈશુ.'
ચૂંટણી પંચની વેબસાઈટ પર બતાવવામાં આવેલ રુઝાન મુજબ સત્તારુઢ ભાજપની આગેવાનીવાળી એનડીએ આસામમાં કોંગ્રેસની આગેવાનીવાળા ગઠબંધનથી આગળ હતી. 12.15 વાગ્યા સુધી ભાજપ પ્લસ 119 સીટોમાંથી 77 સીટો પર આગળ હતુ. આ તરફ સોનોવાલ માજુલી મત વિસ્તારમાં આગળ ચાલી રહ્યા છે.
ન્યૂઝ એજન્સી દ્વારા જણાવવામાં આવ્યુ કે ભાજપ નેતા હેમંત બિસ્વા સરમા જલુકબારી સીટથી આગળ ચાલી રહ્યુ છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ આસામ વિધાનસભા ચૂંટણીમાં હાલમાં 60 સીટો પર ભાજપ, 26 સીટો પર કોંગ્રેસ, 11 સીટો પર ઑલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ અને 11 સીટો પર આસામ ગણ પરિષદ આગળ ચાલી રહ્યુ છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
