Assam Exit Poll Result 2021: શું આસામમાં સરકાર બચાવી શકશે ભાજપ કે ચાલશે વિપક્ષનો જાદૂ
રાજ્યો સાથે આસામ રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે એ તો ચૂંટણી પરિણામોની ઘોષણામાં જ નક્કી થશે.
ગુવાહાટીઃ કોરોના મહામારીના ભયંકર પ્રકોપ વચ્ચે ગુરુવારે પશ્ચિમ બંગાળના અંતિમ તબક્કાનુ મતદાન સમાપ્ત થઈ ચૂક્યુ છે. 2મેના રોજ પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં મતોની ગણતરી થશે અને ચૂંટણી પરિણામ ઘોષિત થશે. અન્ય રાજ્યો સાથે આસામ રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે એ તો ચૂંટણી પરિણામોની ઘોષણામાં જ નક્કી થશે.

આસામમાં ત્રણ તબક્કામાં થયેલ ચૂંટણીમાં 126 વિધાનસભા સીટોનુ પરિણામ ઘોષિત થશે. આ ચૂંટણીમાં સત્તાધારી ભાજપે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. વળી, વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સહિત અન્ય 8 પાર્ટીઓએ પણ એડીચોટીનુ દમ લગાવી દીધુ. ચૂંટણી પરિણામ 2મેના રોજ આવશે પરંતુ આસામમાં કઈ પાર્ટીની સરકાર બનશે તેના માટે એક્ઝીટ પોલના રૂઝાન આવવા શરૂ થઈ ચૂક્યા છે. આવો જાણીએ રાજ્યમાં ભાજપ પોતાના રાજ્યને બચાવી શકશે કે નહિ કે આ વખતે વિપક્ષી પાર્ટી કોંગ્રેસનો જાદૂ ચાલશે. તમે એક્ઝીટ પોલથી 2મેના રોજ આવનાર પરિણામનુ અનુમાન લગાવી શકો છો.
ઈન્ડિયા ટુડેના એક્ઝીટ પોલ અનુસાર આસામમાં ભાજપ+- 48% - 75-85 સીટો પર જીત મેળવશે. વળી, કોંગ્રેસને 40 ટકા મળવા અને 40થી 50 સીટો જીત મેળવી શકે છે. વળી, અન્યને -12 ટકા વોટ મળશે અને અન્ય પાર્ટીઓ 1-4% સીટો મેળવતી જોવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે આસામ વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધન વચ્ચે માનવામાં આવી રહ્યો છે. ભાજપના નેતૃત્વમાં જે પાર્ટીઓ ગઠબંધનમાં છે તેમાં યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ(યુપીપીએલ) અને આસોમ ગણ પરિષદ(એજીપી) શામેલ છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વવાળા ગઠબંધનમાં ઑલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ(એઆઈયુડીએફ),, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી(માર્કસવાદી), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી(માર્કસવાદી-લેનિનવાદી)લિબરેશન, આંચલિક ગણ મોરચો(એજીએમ) અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રંટ(બીપીએફ) શામેલ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
