શરદ પવારે મમતા બેનર્જી, પિનારાઈ અને સ્ટાલિનને અભિનંદન આપીને કહી એક વાત...
એનસીપી પ્રમુખ શરદ પવારે પણ આ શાનદાર જીત પર મમતા બેનર્જીને અભિનંદન પાઠવીને ટ્વિટ કર્યુ છે.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ ચૂંટણી 2021ના પરિણામો માટે મતોની ગણતરી ચાલુ છે. મતગણતરીના રુઝાનોમાં ટીએમસી 200 સીટો પર આગળ ચાલી રહ્યુ છે. તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી) 292 સીટોમાંથી 202 સીટો પર આગળ ચાલી રહ્યુ છે જે બહુમતના 147ના જાદૂઈ આંકડાથી ઘણુ વધુ છે. વળી, ભાજપ માત્ર 77 સીટો પર આગળ છે. ફાઈનલ પરિણામમાં જો આ સાચુ પડ્યુ તો મમતાની પાર્ટીની બંગાળ ચૂંટણીમાં આ સતત ત્રીજી જીત હશે. ફાઈનલ પરિણામ આવતા પહેલા ટીએમસીના કાર્યકર્તાઓ અને મમતાના પ્રશંસકોએ અત્યારથી અભિનંદન આપવા શરૂ કરી દીધા છે. એટલુ જ નહિ એનસીપી પ્રમુખ શરદ પવારે પણ આ શાનદાર જીત પર મમતા બેનર્જીને અભિનંદન પાઠવીને ટ્વિટ કર્યુ છે. વળી, શરદ પવારે કેરળમાં પિનારાઈ વિજયન અને તમિલનાડુમાં સ્ટાલિનની જીત પર અભિનંદન આપીને ટ્વિટ કર્યુ છે.

મમતા બેનર્જીને આપ્યા અભિનંદન
એનસીપી પ્રમુખ શરદ પવારે બંગાળમાં ટીએમસીની જીત પર મમતા બેનર્જીને અભિનંદન આપ્યા છે. શરદ પવારે અભિનંદન આપીને ટ્વિટ કર્યુ કે તમારી શાનદાર જીત પર અભિનંદન! આવો, આપણે લોકોના કલ્યાણ અને સામૂહિક રીતે મહામારી સામે લડવા માટે પોતાનુ કામ ચાલુ રાખીએ.
પિનારાઈ વિજયનને આપ્યા અભિનંદન
શરદ પવારે વિજયન પિનારાઈને જીતના અભિનંદન આપીને ટ્વિટ કર્યુ. તેમણે અભિનંદન આપીને લખ્યુ કે કેરળ ચૂંટણીમાં સતત ઐતિહાસિક જીત માટે પિનારાઈ તમને અભિનંદન. સાથે મળીને આપણે આ ચૂંટણી લડ્યા અને હવે એક સાથે આપણે કોવિડ સામ લડાઈ લડીશુ!
સ્ટાલિનને આપ્યા અભિનંદન
વળી, તમિલનાડુમાં ડીએમકેની જીત પર શરદ પવારે એમકે સ્ટાલિનને અભિનંદન આપ્યા અને લખ્યુ કે પોતાની જીત પર, વાસ્તવમાં સારી રીતે જીતના લાયક છો! તમને એ લોકોની સેવા કરવા માટે શુભકામનાઓ, જેમણે તમારામમાં વિશ્વાસ પેદા કર્યો છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
