છોકરીને 14 સેકન્ડ કરતાં વધુ તાકવું એ ગુનો છેઃ IPS
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...
છોકરીને 14 સેકન્ડ કરતાં વધુ તાકવું એ ગુનો છેઃ IPS
કેરળના એક વરિષ્ઠ આઇપીએસ અધિકારી ઋષિરાજ સિંહે યોન ઉત્પીડન પર વિવાદિત નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે જો કોઇ યુવતીને 14 સેકન્ડ સુધી એકીટસે જોયા કરે તો તે યોન ઉત્પીડન છે. આઇપીએસ અધિકારીની આ યોન ઉત્પીડન પરની પરિભાષા પર અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો છે.
ગુજરાત મોડલના નામે મુર્ખ બનાવી રહ્યા છેઃ કનૈયા
જેએનયુના કન્હૈયા કુમારે ગુજરાત મોડલના નામે પીએમ મોદી પર પ્રહારો કર્યા. કહ્યું કે વિકાસના ગુજરાત મોડેલના નામે દેશના લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યાં છે. સંઘ અને મનુવાદી આદર્શો લોકતાંત્રિક અવાજોને દબાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો.
કાશ્મીરઃ આતંકી હુમલામાં ત્રણ જવાન શહીદ
કાશ્મીરમાં વિવિધ જગ્યાએ સુરક્ષાદળો પર હુમલો થવાની જાણકારી મળી છે. આતંકીઓએ બારામુલામાં થયેલા આતંકી હુમલામાં 3 જવાન શહીદ થયા. હુઝબુલ કમાન્ડર બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ કાશ્મીરની સ્થિતિ અતિ ખરાબ બની છે.
પાકિસ્તાન જવું એટલે નર્ક જવા બરાબરઃ પારિકર
પાકિસ્તાનને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આક્રમક વ્યવ્હાર અપનાવ્યો છે. રક્ષામંત્રી મનોહર પારિકરે પાકિસ્તાનને આતંકવાદ પર ખરી ખોટી સંભળાવી છે. પારિકરે રેવાડીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે પાકિસ્તાન આતંકવાદનું પરિણામ જાતે જ ભોગવી રહ્યુ છે.
ગમે ત્યાં થૂંકતાં પહેલાં 10 વખત વિચાર કરજો
એક જ મહિનામાં 30,000 જેટલા મુંબઇગરાઓને 65 લાખનો દંડ ભરવો પડ્યો છે. બીએમસીએ હાલમાં જ ક્લિન-અપ માર્શલ સ્કીમ શરૂ કરી છે. જે મુજબ ગમે ત્યાં પિચકારી મારનાર કે જાહેરમાં પેશાબ કરનારને મોટો દંડ ભરવો પડશે.
કેરળઃ પદ્મનાભ મંદિરનું કરોડોનું સોનું ગૂમ
કેરળના જગવિખ્યાત પદ્મનાભ સ્વામી મંદિરના વોલ્ટમાંથી ઓછામાં ઓછા 186 કરોડ રૃપિયાની કિંમતના સોનાનાં 769 પાત્રો અદ્રશ્ય થયાં. આ અંગેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સુપરત કરવામાં આવ્યો છે. જેમાં રાયે કહ્યું હતું કે સોનું મંદિરના વોલ્ટમાંથી પગ કરી ગયું હતું જેની ઉચ્ચ કક્ષાએ ગુપ્તચર સેવા દ્વારા તપાસ થવી ઘટે છે.