'જ્યારે ગુજરાત સળગી રહ્યુ હતુ ત્યારે, તમે રેલ મંત્રી હતા, ઇતિહાસ યાદ રાખજો, 'ઔવેસી એ નીતિશ પર બીજેપીને લઇને કર
Asaduddin Owaisi News: એઆઇએણઆઇએમ પ્રમુખ અને હૈદરાબાદના સાસંદ અસદ્દુદિન ઔવૈસી બિહારના સીમાંચલ ક્ષેત્રમાં પોતાના બે દિવસીય પ્રવાસ છે. જ્યાં તેમની પાર્ટીએ 2020 ના બિહાર વિધાનસભા ચૂંટણીમાં પાંચ સીટ જીતી હતી.
ઓલ ઇંડિયા મજલિસ-એ- ઇત્તેહદુલ મિસ્લિમીન (AIMIM) ના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદ્દુદિન ઔવૈસીએ શનિવારે બિહારના પૂર્વત્તર સીમાંચલ ક્ષેત્રના પોતાના બે દિવસીય પ્રવાસની શરુઆત કરી છે. આ દરમિયાન પૂર્ણિયામાં અસદ્દુદિન ઔવેસીના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનો આરોપ લગાવ્યો છે.

પૂર્ણિયાના બૈસીમાં પાર્ટી કર્યકર્તાઓને સંબોધિત કરતા ઔવૈસીએ કહ્યુ કે, બીજેપીને મજબુત કરવા માટે ઇતિહાસ તમને યાદ રાખશે.
2002ના ગુજરાત સંદર્ભમાં અસદુદ્દિન ઔવેસીએ કહ્યુ કે, " જ્યારે ગુજરાત સળગી રહ્યુ હતુ, ત્યારે નીતિશ કુમાર રેલ મંત્રી હતા. જો તેમને લાગે છે કે, મજલીસ મુસલમાની પાર્ટી છે તો તેમણે યાદ રાખવુ જોઇએ કે, તે કુર્મિ અને કુશવાહથી આગળ નહી વધી શકે.
સીએમ નીતિશ કુમારની જનતા દળ યૂનાઇટેડ અને રાજદ બિહારમાં સત્તારુઢ ગઠબંધન પાર્ટી છે જેને મહાગઠબંધન કહેવામાં આવે છે.
એઆઇએણઆઇએમને ફક્ત મુસ્લિમોની પાર્ટી ગણાવનાર નીતિશ કુમારના નિવેનદન પર ઔવૈસીએ કહ્યુ કે, 'નીતિશ કુમારે પોતાની અંદર ઝાંખી લેવુ જોઇએ. તે હજી સુધી બિહારમાં કુર્મિ અને કોયરી જાતીઓથી બહાર નથી આવ્યાટ
આ દરમિયાન અસુદ્દીન ઔવૈસીએ આરજેડીને પણ નથી છોડી તેમણે કહ્યુ કે, રાજત નેતા દ્વારા ઉપયોગ કરવામાં આવેલા નાણાં શક્તિ દ્વારા પસંદ કરવામા આવેલા લોકો હારી ગયા છે.
2020 બિહાર વિધાનસભા ચૂંટણીમાં એઆઇએમઆઇએમે સિમાંચલમાં પાંચ સીટો પર જીત મેળવી હતી. આ વિસ્તાર પછાત છે. જેમા મુસલમાનોની બહુસંખ્યા છે. જેમાથી ચાર રાજદમાં ચાલ્યા ગયા છે.












Click it and Unblock the Notifications
