મસ્જિદમાં નમાજનો મામલો સંવૈધાનિક ખંડપીઠને નહિ મોકલાયઃ સુપ્રીમ કોર્ટ
મસ્જિદમાં નમાજનો મામલો સંવૈધાનિક ખંડપીઠને નહિ મોકલાયઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદથી સંબંધિત એક મામલામાં આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો ફેસલો સંભળાવ્યો. આ મામલો 1994ના ઈસ્માઈલ ફારુકીએ આપેલ ચુકાદાનો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે મસ્જિદમાં નમાજ પઢવી ઈસ્લામનો અભિન્ન ભાગ નથી. આ મામલે મસ્લિમ પક્ષકારોએ પુનઃવિચાર કરવાની માગણીને લઈને અરજી દાખલ કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટે આજે ફેસલો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પોઈપણ ધાર્મિક સ્થળનું અધિગ્રહણ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મસ્જિદમાં નમાજનો મામલો સંવૈધાનિક પીઠને નહિ મોકલાય.

કોઈપણ ધાર્મિક સ્થળનું અધિગ્રહણ થઈ શકે
જસ્ટિસ ભૂષણે ફેસલો વાંચતા 1994ના ચુકાદાનો ઉલ્લેખ કર્યો, અને કહ્યું કે કોઈપણ ધાર્મિક સ્થળનું અધિગ્રહણ થઈ શકે છે. અધિગ્રહણથી મૌલિક અધિકારોનું હનન નથી, મસ્જિદ, ચર્ચ, મંદિર કોઈપણ ધાર્મિક સ્થળનું અધિગ્રહણ થઈ શકે છે. વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે મસ્જિદના અધિગ્રહણ માટે કોઈ અલગ માપદંડ નથી. સાથે જ મસ્જિદમાં નમાજના મામલાને સંવૈધાનિક પીઠને ન મોકલવાનું સ્પષ્ટ કરી દીધું, કહ્યું કે- આ મામલાને સંવૈધાનિક પીઠ પાસે મોકલવાની કોઈ જરૂરત નથી.

બંધારણીય ખંડપીઠને મામલો નહિ મોકલાય
આની સાથે જ કોર્ટે સ્પષ્ટતા કરી દીધી કે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે આગામી સુનાવણી 29મી ઓક્ટોબરે થશે. આ ફેસલા બાદ રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે જલદી સુનાવણી આગળ વધે તેવી અપેક્ષા છે. હવે ત્રણ જજની બેંચ અયોધ્યા ભૂમિ વિવાદ પર સુનાવણી કરશે. ટાઈટલ સૂટ પર 29મી ઓક્ટોબરે સુનાવણી થશે.

શું હતો મામલો
1994માં ડૉ. ફારુકીની આગેવાની વાળી ખંડપીઠે ફેસલો સંભળાવતા કહ્યું હતું કે નમાજ પઢવા માટે મસ્જિદ એ ઈસ્લામનો અભિન્ન ભાગ નથી. ત્યારે મુસ્લિમ પક્ષકારોએ આ ફેસલા પર પુનઃવિચાર કરવાની માગણી કરી હતી. આજે સુપ્રીમ કોર્ટમાં એ નક્કી કરવાનું હતું કે સુપ્રીમ કોર્ટે 1994માં આપેલ ફેસલાને પુનઃવિચાર માટે મોકલવો કે નહિ, જો કે કોર્ટે આ મામલે પુનઃવિચાર માટે સંવૈધાનિક ખંડપીઠને મોકલવાની ના પાડી દીધી અને સ્પષ્ટ કર્યું કે ચુકાદામાં મસ્જિદ ઈસ્લામનો અભિન્ન અંગ નથી તેમ નહી પણ નમાજ પઢવા માટે ઈસ્લામનો અભિન્ન ભાગ નથી કેમ કહેવામાં આવ્યું હતું તેથી આ મામલાને પુનઃવિચાર માટે મોકલવાની જરૂરત નથી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ








Click it and Unblock the Notifications
