For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા કેસઃ શું મધ્યસ્થી દ્વારા વિવાદ ઉકેલી શકાય? સુપ્રીમ કોર્ટમાં આજે આવશે ફેસલો

અયોધ્યા કેસઃ મધ્યસ્થી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અયોધ્યા ભૂમિ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થનાર છે. આજે સુપ્રીમ કોર્ટ આ વાત પર ફેસલો આપી શકે છે કે શું આ મામલાને અદાલત બહાર મધ્યસ્થી દ્વારા ઉકેલી શકાય છે કે નહિ. જણાવી દઈએ કે પાછલી સુનાવણી દમિયાન મામલાની સુનાવણી કરી રહેલ પીઠે કહ્યું હતું કે જો એક ટકા પણ મધ્યસ્થીની આશા છે તો તેની કોશિશ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલાની સુનાવણી 26મી ફેબ્રુઆરીએ થઈ હતી.

supreme court

પાછલી સુનાવણી દરમિયાન મધ્યસ્થતાના સવાલ પર કેટલાય સ્વર સંભળાયા હતા. આ મામલામાં હિંદુ પક્ષકારોના વકીલોએ એમ કહીને વાંધો ઉઠાવ્યો કે આ પ્રકારની કોશિશ પહેલા પણ થઈ ચૂકી છે જે નિષ્ફળ રહી. જ્યારે મુસ્લિમ પક્ષે પણ મધ્યસ્થી પર ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ સાથે જ એમ પણ કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટની દેખરેખમાં મધ્યસ્થી થાય તો તેઓ તૈયાર છે.

પાછલી સુનાવણી દરમિયાન ટ્રાન્સલેશનની સ્વીકાર્યતા પર વિવાદ થયો હતો જે દરમિયાન પીઠે કહ્યું કે જો તમામ પક્ષોને દસ્તાવેજોના અનુવાદ મંજૂર હોય તો તેઓ સુનાવણી થયા બાદ તેના પર સવાલ ન ઉઠાવી શકે. અયોધ્યામાં વિવાદિત 2.27 એકર ભૂમિને સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડો અને રામ લાલા વચ્ચે બરાબર ભાગમાં વહેંચવાના અલ્હાબાદ હાઈકોર્ટના 2010ના ફેસલા વિરુદ્ધ દાખલ 14 અપીલ પર સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પીઠ સુનાવણી કરી રહી છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટના 5 જજની સંવૈધાનિક બેંક અયોધ્યા મામલાની સુનાવણી કરી રહ્યા છે. મામલાની સુનાવણી કરી રહેલ સંવૈધાનિક બેંચમાં સીજેઆઈ રંજન ગોગોઈ ઉપરાંત ન્યાયમૂર્તિ એસએ બોબડે, ન્યાયમૂર્તિ ધનન્જય વાઈ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નઝીર સામેલ છે. અગાઉ અયોધ્યા મામલાની સુનાવણી માટે 25મી જાન્યુઆરીએ સંવિધાન પીઠની રચના કરવામાં આવી હતી પરંતુ ન્યાયમૂર્તિ ઉદય યૂ લલિતે ખુદને આ મામલાથી અલગ કરી લીધા હતા જે બાદ નવી પીઠની રચના કરવામાં આવી.

આ પણ વાંચો- ભારતના દબાણની અસર, પાકિસ્તાને હાફિઝ સઈદના સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો

English summary
Ayodhya Dispute: SC to consider referring it to mediation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X