ભારતના દબાણની અસર, પાકિસ્તાને હાફિઝ સઈદના સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો
ભારતના દબાણ બાદ પાકિસ્તાને હાફિઝના સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો
ઈસ્લામાબાદઃ પુલવામા હુમલા બાદ ભારત અને વિશ્વ સમુદાયના દબાણના કારણે પાકિસ્તાન આતંકીઓ અને આતંકી સંગઠનો વિરુદ્ધ પગલું ઉઠાવી હ્યું છે. ભારતના દબાણને પગલે પાકિસ્તાને મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા અને ખૈરાતી એકમ ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાનના આંતરીક મામલાના મંત્રાલયે આતંકવાદ વિરોધી અધિનિયમ 1997 અંતર્ગત આ કાર્યવાહી કરી છે.
મંગળવારે લેવાયો નિર્ણય
સોમવાર સુધી એનસીટીએની વેબસાઈટ પર આ સંગઠનોને દેખરેખવાળા સંગઠનોની સૂચીમાં રાખવામાં આવ્યું હતું. જે બાદ મંગળવારે જ આ સંગઠનોને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં મૂકી દેવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકારે પુલવામા હુમલાની જવાબદારીવાળા જૈશ એ મોહમ્મદ, હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા અને ખૈરાતી એકમ ફલાહ-એઃઈન્સાનિયત ફાઉન્ડેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. આંતરિક મામલાના મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલ આ સૂચીમાં 35થી વધુ સંગઠનોને પ્રતિબંધિત કર્યા છે.
|
ઈમરાન પર હતું આખી દુનિયાનું દબાણ
જણાવી દઈએ કે અગાઉ અહેવાલ મળ્યા હતા કે, ઈમરાન ખાનની સરકારે જમાત-ઉદ-દાવા અને તેના એકમ ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશનને પ્રતિબંધિત ન કર્યું, બલકે તેને વૉટ લિસ્ટના સંગઠનોની યાદીમાં મૂક્યું હતું. પાકિસ્તાન સરકારના રાષ્ટ્રીય આતંકવાદ રોધી પ્રાધિકરણની વેબસાઈટ મુજબ જેયૂડી અને એફઆઈએફ સંગઠનો આતંકવાદ રોધી અભિનિયમ 1997ની બીજી અનુસૂચીની ધારા 11-ડી (1) અંતર્ગત ગૃહ મંત્રાલયની દેખરેખમાં છે. આ વેબસાઈટ સોમવારે જ અપડેટ થઈ હતી.
મસૂદ અઝહરના ભાઈ સહિત 44 આતંકવાદીની ધરપકડ
એનસીટીએની વેબસાઈટ મુજબ જેયૂડી અને એફઆઈએફને દેખરેખમાં રાખનાર સંગઠનોની યાદીમાં નાખવાનું નોટિફિકેશન 21મી ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ પાકિસ્તાને જૈશના વડા મસૂદ અઝહરના બે ભાઈ સહિત 44 આતંકવાદીઓની ધરપકડ કરી લીધી. પાકિસ્તાનના આંતરિક મામલાના મંત્રી શહરયાર અફરીદીએ આજે કહ્યું કે મસૂદ અઝહરના ભાઈ મુફ્તી અબ્દુલ રઉફ અને હમ્મદ અઝહર સહિત 44 આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
પાકનો દાવો- જૈશ પ્રમુખ મસૂદ અઝહરના બે ભાઈઓ સહિત 44 આતંકીની ધરપકડ