Ram Mandir Inauguration: રામ લલ્લા આજે કરશે અયોધ્યા ભ્રમણ, સરયુના જળથી થશે દિવ્ય સ્નાન
Ram Mandir Inauguration: 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ચારેબાજુ ભક્તિનો માહોલ છે. અયોધ્યામાં 16 જાન્યુઆરીથી 7 દિવસીય અનુષ્ઠાન શરૂ થઈ ગયું છે. આજે ધાર્મિક વિધિનો બીજો દિવસ છે.
મંગળવારે પ્રાયશ્ચિત પૂજા કરવામાં આવી હતી, આજે ભગવાન રામલલા તેમના મંદિરમાં પ્રવેશ કરવાના છે પરંતુ આ પહેલા રામલલા અયોધ્યા ધામના નગરભ્રમણ માટે નીકળશે અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ભગવાન રામના બાળ સ્વરૂપને મંદિરમાં લઈ જવામાં આવશે અને શોભાયાત્રામાં ભક્તો મંગલ કલશમાં સરયુ જળ લઈ જશે, જેનાથી ભગવાનને દિવ્ય સ્નાન કરાવવામાં આવશે. ગુરુવારથી ઔપચારિક વિધિ શરૂ થશે તેવું જાણવા મળે છે. આ દરમિયાન ગણેશ પૂજા, અંબિકા પૂજા, વરુણ પૂજા અને વાસ્તુ પૂજા કરવામાં આવશે.
18 જાન્યુઆરીએ રામલલા ગર્ભગૃહમાં પ્રવેશ કરશે અને 22 જાન્યુઆરીએ યોગ્ય સમયે પીએમ મોદી દ્વારા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
આ અંગે માહિતી આપતાં શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજે મીડિયાને જણાવ્યું હતું કે, અયોધ્યામાં તમામ કામકાજ વિધિ-વિધાન મુજબ થઈ રહ્યાં છે. એક તરફ મંદિરમાં કામ ચાલી રહ્યું છે અને બીજી તરફ અયોધ્યા સજી રહી છે, આખો માહોલ ખૂબ અલૌકિક છે.
તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશના તમામ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ જ્યારે રામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા થશે ત્યારે ગર્ભગૃહમાં માત્ર પાંચ લોકો જ હાજર રહેશે. ગર્ભગૃહ જેમાં પીએમ મોદી, સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદબેન પટેલ બે પંડિતો સાથે હાજર રહેશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
