Ram Mandir: અયોધ્યા રામ મંદિરને માત્ર 2 દિવસમાં મળ્યુ આટલા કરોડનુ દાન
Ayodhya Ram Mandir Donation: અયોધ્યાના રામ મંદિરમાં આજે પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ છે અને રામલલાના દર્શન માટે આવેલા ભક્તોની ભીડને સંભાળવી મુશ્કેલ બની રહી છે.
શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાણ પ્રતિષ્ઠા પછી, મંગળવારે પહેલા દિવસે લગભગ 5 લાખ અને બુધવારે બીજા દિવસે 2.5 લાખ ભક્તોએ રામલલાના દર્શન કર્યા.

આ બે દિવસ દરમિયાન રામ મંદિરમાં કેટલુ દાન આવ્યુ તેની માહિતી પણ સામે આવી છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ કહ્યું કે છેલ્લા બે દિવસમાં રામ લલ્લાના દરબારમાં 3.17 કરોડ રૂપિયાની રકમ દાન તરીકે આવી છે. આમાં ઑનલાઈન માધ્યમ દ્વારા આપવામાં આવેલ દાનનો પણ સમાવેશ થાય છે.
પીટીઆઈને આપેલી માહિતીમાં અનિલ મિશ્રાએ કહ્યું, 'પ્રાણ પ્રતિષ્ઠા પછી દાન મેળવવા માટે રામ મંદિર પરિસરમાં 10 કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા. બે દિવસમાં, આ કાઉન્ટર્સ પર અને ઑનલાઈન માધ્યમ દ્વારા 3.17 કરોડ રૂપિયા દાન તરીકે પ્રાપ્ત થયા. બુધવારે રાત સુધી લગભગ 7.5 લાખ ભક્તોએ મંદિરમાં રામલલાના દર્શન કર્યા છે. રામ ભક્તોની ભીડ સતત વધી રહી છે અને દરેક લોકો સરળતાથી દર્શન કરી શકે તે માટે વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રામલલાના દર્શન માટે અયોધ્યા પહોંચતા ભક્તોની ભીડ સતત વધી રહી છે. આવી સ્થિતિમાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતા દત્તાત્રેય હોસાબલેએ અયોધ્યામાં સંઘ કાર્યકર્તાઓને મંદિરની આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખવા તેમજ ભક્તોની ભીડને સંભાળવામાં વહીવટીતંત્રને સહકાર આપવાની સૂચના આપી છે.
આ સિવાય રામ ભક્તોની વધતી ભીડને જોતા અયોધ્યા જિલ્લા પ્રશાસને હાલમાં શહેરની સરહદો સીલ કરી દીધી છે. આ ઉપરાંત મંદિર પરિસરની બહાર આરએએફ અને સીઆરપીએફના જવાનોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેથી ભક્તોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. નજીકના જિલ્લાઓ બસ્તી, ગોંડા, આંબેડકર નગર, બારાબંકી, સુલતાનપુર અને અમેઠીથી આવતા ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે અયોધ્યા પ્રશાસને જિલ્લા સરહદથી 15 કિલોમીટર પહેલા નાકાબંધી કરી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
