Ram Mandir: અયોધ્યા રામ મંદિરને માત્ર 2 દિવસમાં મળ્યુ આટલા કરોડનુ દાન
Ayodhya Ram Mandir Donation: અયોધ્યાના રામ મંદિરમાં આજે પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ છે અને રામલલાના દર્શન માટે આવેલા ભક્તોની ભીડને સંભાળવી મુશ્કેલ બની રહી છે.
શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાણ પ્રતિષ્ઠા પછી, મંગળવારે પહેલા દિવસે લગભગ 5 લાખ અને બુધવારે બીજા દિવસે 2.5 લાખ ભક્તોએ રામલલાના દર્શન કર્યા.

આ બે દિવસ દરમિયાન રામ મંદિરમાં કેટલુ દાન આવ્યુ તેની માહિતી પણ સામે આવી છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ કહ્યું કે છેલ્લા બે દિવસમાં રામ લલ્લાના દરબારમાં 3.17 કરોડ રૂપિયાની રકમ દાન તરીકે આવી છે. આમાં ઑનલાઈન માધ્યમ દ્વારા આપવામાં આવેલ દાનનો પણ સમાવેશ થાય છે.
પીટીઆઈને આપેલી માહિતીમાં અનિલ મિશ્રાએ કહ્યું, 'પ્રાણ પ્રતિષ્ઠા પછી દાન મેળવવા માટે રામ મંદિર પરિસરમાં 10 કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા. બે દિવસમાં, આ કાઉન્ટર્સ પર અને ઑનલાઈન માધ્યમ દ્વારા 3.17 કરોડ રૂપિયા દાન તરીકે પ્રાપ્ત થયા. બુધવારે રાત સુધી લગભગ 7.5 લાખ ભક્તોએ મંદિરમાં રામલલાના દર્શન કર્યા છે. રામ ભક્તોની ભીડ સતત વધી રહી છે અને દરેક લોકો સરળતાથી દર્શન કરી શકે તે માટે વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રામલલાના દર્શન માટે અયોધ્યા પહોંચતા ભક્તોની ભીડ સતત વધી રહી છે. આવી સ્થિતિમાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતા દત્તાત્રેય હોસાબલેએ અયોધ્યામાં સંઘ કાર્યકર્તાઓને મંદિરની આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખવા તેમજ ભક્તોની ભીડને સંભાળવામાં વહીવટીતંત્રને સહકાર આપવાની સૂચના આપી છે.
આ સિવાય રામ ભક્તોની વધતી ભીડને જોતા અયોધ્યા જિલ્લા પ્રશાસને હાલમાં શહેરની સરહદો સીલ કરી દીધી છે. આ ઉપરાંત મંદિર પરિસરની બહાર આરએએફ અને સીઆરપીએફના જવાનોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેથી ભક્તોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. નજીકના જિલ્લાઓ બસ્તી, ગોંડા, આંબેડકર નગર, બારાબંકી, સુલતાનપુર અને અમેઠીથી આવતા ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે અયોધ્યા પ્રશાસને જિલ્લા સરહદથી 15 કિલોમીટર પહેલા નાકાબંધી કરી છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
