રામલલાને મળી વિવાદિત જમીન, જાણો અયોધ્યા કેસમાં SCના ચુકાદાની 10 મોટી વાતો
વિવાદિત જમીન પર રામ મંદિરનુ નિર્માણ કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવીને કરશે. વળી, અયોધ્યામાં જ મસ્જિદ બનાવવા માટે સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીન મળશે. આવો જાણીએ આ ઐતિહાસિક ચુકાદાની 10 મોટી વાતો...
દેશનો સૌથી જૂનો વિવાદ અયોધ્યા જમીન વિવાદમાં આજે દેશની સર્વોચ્ચ અદાલતે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ મામલે ચુકાદો સંભળાવીને વિવાદિત જમીન રામજન્મભૂમિ રામલલા વિરાજમાનને આપી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સુન્ની બોર્ડને અલગથી 5 એકર જમીન આપવાની વાત કહી છે. વળી, સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દીધો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની આગેવાનીમાં બંધારણીય પીઠે ચુકાદો સંભળાવીને નિર્મોહી અખાડા અને શિયા વકફ બોર્ટના દાવાને ફગાવી દીધો છે. પાંચ જજોની બેંચે અયોધ્યા મામલે ઐતિહાસિક ચુકાદો સંભળાવીને કહ્યુ કે વિવાદિત જમીન પર રામ મંદિરનુ નિર્માણ કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવીને કરશે. વળી, અયોધ્યામાં જ મસ્જિદ બનાવવા માટે સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીન મળશે. આવો જાણીએ આ ઐતિહાસિક ચુકાદાની 10 મોટી વાતો...

અયોધ્યા પર ઐતિહાસિક ચુકાદો
સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ કેસમાં ચુકાદો સંભળાવતા કહ્યુ કે વિવાદિત જમીન રામલલ્લા વિરાજમાનને આપવામાં આવે. કોર્ટે કહ્યુ કે હિંદુઓની આ આસ્થા અવિવાદિત છે કે ભગવાન રામનુ જન્મ સ્થળ ધ્વસ્થ સંરચના છે. તેમણે કહ્યુ કે સીતા રસોઈ રામ ચબૂતરો, ભંડાર ગૃહની ઉપસ્થિતિના મળેલા પુરાવા આ તથ્યનો દાવો રજૂ કરે છે.

કેન્દ્ર સરકાર બનાવશે ટ્રસ્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે રામલલાના જમીન પર કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવીને મંદિરનુ નિર્માણ કરશે.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મંદિર નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવીને યોજના તૈયાર કરવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે કહ્યુ કે ચુકાદો આસ્થા અને વિશ્વાસ, દાવાના આધારે ન આપી શકાય. કોર્ટે કહ્યુ કે ઐતિહાસિક દસ્તાવેજ દર્શાવે છે કે હિંદુઓનો વિશ્વાસ છે કે અયોધ્યા ભગવાન રામનુ જન્મ સ્થાન છે.

મસ્જિદ માટે 5 એકર જમીન
સુપ્રીમ કોર્ટે મસ્જિદ બનાવવા માટે વૈકલ્પિક જમીન આપવાના નિર્દેશ આપ્યા. કોર્ટે સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં 5 એકર જમીન આપવાના નિર્દેશ આપ્યા. કોર્ટે કહ્યુ કે બાબરી મસ્જિદને નુકશાન પહોંચાડવુ કાયદાની વિરુદ્ધ હતુ.

નિર્મોહી અખાડાનો દાવો ફગાવ્યો
સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં ત્રીજા પક્ષ નિર્મોહી અખાડાનો દાવો ફગાવી દીધો. નિર્મોહી અખાડાનો દાવો ફગાવતા મુખ્ય ન્યાયાધીશે રંજન ગોગોઈએ કહ્યુ કે અમે 1946ના ફૈઝાબાદ કોર્ટના ચુકાદાને પડકારતી શિયા વકફ બોર્ડની સિંગલ લીવ પિટિશન ફગાવીએ છીએ.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
