Breaking: અયોધ્યા જમીન વિવાદ કેસમાં આજે સુપ્રીમ ચુકાદો આવશે
Breaking: અયોધ્યા જમીન વિવાદ કેસમાં આજે સુપ્રીમ ચુકાદો આવશે
નવી દિલ્હીઃ અયોધ્યા મામલે દેશની સર્વોચ્ચ અદાલત કાલે ફેસલો સંભળાવશે. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટ કાલે સવારે 10.30 વાગ્યે ફેસલો સંભળાવશે. કાલ એટલે કે સનિવારે દેશની સૌથી મોટી અદાલત આ મામલે મહત્વનો ફેસલો સંભળાવવા જઈ રહી છે. ગૃહ મંત્રાલય અયોધ્યા મામલે ફેસલાને લઈ રાજ્યોને તમામ સંવેદનશીલ સ્થાનો પર પર્યાપ્ત સુરક્ષાકર્મી તહેનાત કરવાના નિર્દેશ આપ્યા છે.

જણાવી દઈએ કે અયોધ્યા મામલે 40 દિવસની સુનાવણઈ બાદ કાલે ફેસલો સંભળાવવામાં આવશે. પાંચ જજની બેંક આ મામલે પોતાનો ફેસલો સંભળાવશે. કાલે આવનાર ફેસલાને જોતા અયોધ્યામાં સુરક્ષા સખ્ત કરી દેવામાં આવી છે. આ ફેસલાને જોતા ઉત્તર પ્રદેશમાં કડક સુરક્ષાના ઈંતેજામ કરવામાં આવ્યા છે. રામ મંદિર જનાર તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ટેઢી બજારથી ટૂ વ્હિલર અને ફોર વ્હિલર વાહનોના આવન જાવન પર રોક લગાવી દેવામાં આવી છે. વાહનોનું સઘન ચેકિંગ બાદ શ્રદ્ધાળુઓ અને સામાન્ય લોકોને જવા દેવામાં આવી રહ્યા છે












Click it and Unblock the Notifications
