ખુર્શીદના ઇશારે અમેરિકામાં મારી સાથે થયો દુર્વ્યવહાર: આઝમ ખાન

આઝમે ખુર્શીદ પર આરોપ લગાવતા જણાવ્યું કે તેમણે મારી વિરુધ્ધ કાવતરું રચી તેમના ઇશારા પર જ મારી સાથે પૂછપરછ કરવામાં આવી. આઝમ ખાને જણાવ્યું કે સપા અધ્યક્ષ મુલાયમસિંહ જાણે છે કે અમેરિકામાં તેમની સાથે શું થયું અને આ ઘટનાની પાછળ કોણ છે. સરકારને ધમકી આપતા જણાવ્યું કે સપા ટૂંક સમયમાં યુપીએને સમર્થન પર કોઇ નિર્ણય લેશે.
આઝમ ખાને જણાવ્યું કે અમેરિકા રવાના થયાના 24 કલાક પહેલા અમેરિકાએ મને મારી પત્ની અને બાળકોને 10 વર્ષના વીઝા આપ્યા હતા. સવાલ પૂછતા તેમણે જણાવ્યું કે માલૂમ નહીં પહેલા તપાસ ન્હોતી કરી કે હું આતંકવાદી છું કે નહીં? મને શંકા છે કે બંને સરકારોની સહમતી દ્વારા મારું અપમાન થયું. આ જોઇન્ટ મિલિટ્રી એક્સરસાઇઝ લાગે છે, કારણ કે દેશમાં અપમાનની કોશિશ અસફળ રહી છે. માટે વિદેશમાં તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો.
આઝમ ખાનને અમેકરિકા એરપોર્ટ પર રોકવામાં આવ્યાના મુદ્દાને વિદેશમંત્રી સલમાન ખુર્શીદે ધ્યાન પર લીધો નહીં. ખુર્શીદે જણાવ્યું કે અમેરિકામાં યાત્રા કરવા માટે કડક ઇમિગ્રેશન પ્રોસેસમાંથી પસાર થવું ફરજીયાત છે. તેમણે એ પણ જણાવ્યું કે ભારતે અમેરિકાને આવા મામલાઓમાં હંમેશા શિષ્ટાચાર વાપરવાનો આગ્રહ કર્યો છે. તેમણે જણાવ્યું કે સામાન્ય પ્રક્રિયાઓથી પર જઇને કોઇપણની સાથે અલગ વર્તન કરવામાં આવશે તો સરકાર આ મુદ્દાને જરૂર ઉઠાવશે અને તે દરેક સામાન્ય વ્યક્તિ માટે નહીં કે કોઇ વિશેષ હોદ્દા પર આરુઢ વ્યક્તિ માટે.












Click it and Unblock the Notifications
