PNB Scam: રામદેવ બોલ્યા, નીરવ મોદીને તેના પાપોનું ફળ મળશે

બાબા રામદેવ મોદી સરકારના બચાવમાં આવ્યા છે. મોદી સરકારનો બચાવ કરતા બાબા રામદેવે જણાવ્યું કે મોદી સરકાર નીરવ મોદીને તેના અસલી ઠેકાણે ચોક્કસ પહોંચાડશે.

દેશના સૌથી મોટા ઘોટાળા માટે વિપક્ષ કેન્દ્ર સરકાર પર જોરદાર હુમલા કરી રહી છે. પરંતુ હવે બાબા રામદેવ મોદી સરકારના બચાવમાં આવ્યા છે. મોદી સરકારનો બચાવ કરતા બાબા રામદેવે જણાવ્યું કે મોદી સરકાર નીરવ મોદીને તેના અસલી ઠેકાણે ચોક્કસ પહોંચાડશે. તેમને આગળ જણાવ્યું કે લલિત મોદી હોય કે નીરવ મોદી જે પણ આવું કામ કરે છે તે દેશ માટે પણ શરમની વાત છે.

baba ramdev

લલિત મોદી અને નીરવ મોદીના નામ લઈને બાબા રામદેવે જણાવ્યું કે લોકો ઘોટાળા કરીને દેશનું નામ બદનામ કરે છે. મોદી સરકાર આ નીરવ મોદીને તેના અસલી ઠેકાણે ચોક્કસ પહોંચાડશે તેના પાપોનું ફળ તેને ચોક્કસ મળશે.

આપણે જણાવી દઈએ કે નીરવ મોદી પર આરોપ છે કે તેને પંજાબ નેશનલ બેંક મુંબઈ બ્રાન્ચથી 11400 કરોડ રૂપિયા કરતા પણ વધારે નકલી એલઓયુ મેળવ્યા. જેના કારણે બેંકને ઘણું નુકશાન ઉઠાવવું પડ્યું છે. આ આખો મામલો ત્યારે બહાર આવ્યો જયારે બેંકે જાતે આ ઘોટાળા ની પુષ્ટિ કરી.

નીરવ મોદી ઘ્વારા કરવામાં આવેલા પંજાબ નેશનલ બેંક ઘોટાળા પછી ઈડી અને સીબીઆઈ સતત તેના ઠેકાણા પર દરોડા મારી રહી છે. આ દરોડામાં તેમને કુલ 5500 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. નીરવ મોદીના મુંબઈ, નવી દિલ્હી સાથે ઘણા ઠેકાણા પર સીબીઆઈ ઘ્વારા દરોડા પાડ્યા તેના શોરૂમ અને ઓફિસ પણ સીઝ કરી દેવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X