ભગવા કપડા પહરેવાથી કોઈ બાબા નથી બની જતુઃ બાબા રામદેવ
દેશભરમાં નકલી બાબાઓ અંગે થઈ રહેલા ખુલાસાઓ દરમિયાન બાબા રામદેવે મોટુ નિવેદન આપ્યુ છે.
દેશભરમાં નકલી બાબાઓ અંગે થઈ રહેલા ખુલાસાઓ દરમિયાન બાબા રામદેવે મોટુ નિવેદન આપ્યુ છે. નકલી બાબાઓના કારનામા સામે આવ્યા બાદ રામદેવે કહ્યુ કે જેમનુ ચરિત્ર સારુ નથી એવા બાબાઓને ફાંસી પર લટકાવી દેવા જોઈએ. બાબા રામદેવે કહ્યુ કે જો પ્રોટોકોલ સાંસદો, ધારાસભ્યો માટે છે તો પછી સાધુઓ માટે પણ છે. જે પોતાને સાધુ કહે છે તેમને આનુ પાલન કરવુ જોઈએ. માત્ર ભગવા વસ્ત્રો ધારણ કરવાથી કોઈ સાધુ નથી બની જતુ.

સાધુઓનું ચરિત્ર ઉચ્ચ કોટિનું હોવુ જોઈએ
રાજસ્થાનના કોટામાં બોલતા બાબા રામદેવે કહ્યુ કે સાધુ સંતોએ પોતાની મર્યાદાનું ધ્યાન રાખવુ જોઈએ. સાધુઓનું ચરિત્ર ઉચ્ચ કોટિનું હોવુ જોઈએ. વળી, રામદેવે એમ પણ કહ્યુ કે ધર્માચાર્યોએ પણ આવા સન્યાસીઓની ગેરેન્ટી લેવી જોઈએ. તમને જણાવી દઈએ કે યોગ ગુરુ બાબા રામદેવની આ પ્રતિક્રિયા દાતી મહારાજ પર બળાત્કારનો આરોપ લાગ્યા બાદ આવી છે.

દાતી મહારાજની મુશ્કેલીઓ વધી
તમને જણાવી દઈએ કે શિષ્યા પર બળાત્કારના આરોપ બાદ શનિધામના સંસ્થાપક દાતી મહારાજની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચની ટીમ પીડિતાને લઈને ફતેહપુર બેરી સ્થિત શનિધામ આશ્રમમાં પહોંચ્યા હતા. દિલ્હીની સાકેત કોર્ટે શનિધામ આશ્રમની તપાસનો વોરન્ટ પણ જારી કરી દીધો હતો. દાતી મદન મહારાજ પર બળાત્કારનો આરોપ લગાવનાર પીડિતાનું બુધવારે દિલ્હી પોલિસન ક્રાઈમ બ્રાન્ચે નિવેદન નોંધ્યુ હતુ.

આરોપ લગાવનાર છોકરી મારી દીકરી જેવી
બળાત્કારના આરોપ લાગ્યા બાદ ગાયબ થઈ ગયેલા સ્વયંભૂ બાબા દાતી મહારાજ મીડિયા સામે આવ્યા હતા. દાતી મહારાજે કહ્યુ હતુ કે આરોપ લગાવનાર છોકરી મારી દીકરી જેવી છે અને તે એને બદનામ નહિ થવા દે. દાતી મહારાજે એ પણ કહ્યુ હતુ કે તે મહિલાઓનું સમ્માન કરે છે અને કરતા રહેશે. દાતી મહારાજે કહ્યુ હતુ કે જો તેમની ભૂલ હોય તો પોલિસ તપાસ કરશે અને તપાસમાં સહયોગ આપવા માટે તે પૂરી રીતે તૈયાર છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી







Click it and Unblock the Notifications
