ભગવા કપડા પહરેવાથી કોઈ બાબા નથી બની જતુઃ બાબા રામદેવ
દેશભરમાં નકલી બાબાઓ અંગે થઈ રહેલા ખુલાસાઓ દરમિયાન બાબા રામદેવે મોટુ નિવેદન આપ્યુ છે.
દેશભરમાં નકલી બાબાઓ અંગે થઈ રહેલા ખુલાસાઓ દરમિયાન બાબા રામદેવે મોટુ નિવેદન આપ્યુ છે. નકલી બાબાઓના કારનામા સામે આવ્યા બાદ રામદેવે કહ્યુ કે જેમનુ ચરિત્ર સારુ નથી એવા બાબાઓને ફાંસી પર લટકાવી દેવા જોઈએ. બાબા રામદેવે કહ્યુ કે જો પ્રોટોકોલ સાંસદો, ધારાસભ્યો માટે છે તો પછી સાધુઓ માટે પણ છે. જે પોતાને સાધુ કહે છે તેમને આનુ પાલન કરવુ જોઈએ. માત્ર ભગવા વસ્ત્રો ધારણ કરવાથી કોઈ સાધુ નથી બની જતુ.

સાધુઓનું ચરિત્ર ઉચ્ચ કોટિનું હોવુ જોઈએ
રાજસ્થાનના કોટામાં બોલતા બાબા રામદેવે કહ્યુ કે સાધુ સંતોએ પોતાની મર્યાદાનું ધ્યાન રાખવુ જોઈએ. સાધુઓનું ચરિત્ર ઉચ્ચ કોટિનું હોવુ જોઈએ. વળી, રામદેવે એમ પણ કહ્યુ કે ધર્માચાર્યોએ પણ આવા સન્યાસીઓની ગેરેન્ટી લેવી જોઈએ. તમને જણાવી દઈએ કે યોગ ગુરુ બાબા રામદેવની આ પ્રતિક્રિયા દાતી મહારાજ પર બળાત્કારનો આરોપ લાગ્યા બાદ આવી છે.

દાતી મહારાજની મુશ્કેલીઓ વધી
તમને જણાવી દઈએ કે શિષ્યા પર બળાત્કારના આરોપ બાદ શનિધામના સંસ્થાપક દાતી મહારાજની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચની ટીમ પીડિતાને લઈને ફતેહપુર બેરી સ્થિત શનિધામ આશ્રમમાં પહોંચ્યા હતા. દિલ્હીની સાકેત કોર્ટે શનિધામ આશ્રમની તપાસનો વોરન્ટ પણ જારી કરી દીધો હતો. દાતી મદન મહારાજ પર બળાત્કારનો આરોપ લગાવનાર પીડિતાનું બુધવારે દિલ્હી પોલિસન ક્રાઈમ બ્રાન્ચે નિવેદન નોંધ્યુ હતુ.

આરોપ લગાવનાર છોકરી મારી દીકરી જેવી
બળાત્કારના આરોપ લાગ્યા બાદ ગાયબ થઈ ગયેલા સ્વયંભૂ બાબા દાતી મહારાજ મીડિયા સામે આવ્યા હતા. દાતી મહારાજે કહ્યુ હતુ કે આરોપ લગાવનાર છોકરી મારી દીકરી જેવી છે અને તે એને બદનામ નહિ થવા દે. દાતી મહારાજે એ પણ કહ્યુ હતુ કે તે મહિલાઓનું સમ્માન કરે છે અને કરતા રહેશે. દાતી મહારાજે કહ્યુ હતુ કે જો તેમની ભૂલ હોય તો પોલિસ તપાસ કરશે અને તપાસમાં સહયોગ આપવા માટે તે પૂરી રીતે તૈયાર છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
