બાબરી વિધ્વંસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની 10 મહત્વના પોઇન્ટ
બાબરી ધ્વંસ મામલે સુપ્રિમ કોર્ટે જે નિર્ણય આપ્યો છે. તે અંગે તમામ મહત્વની વિગતો વાંચો અહીં...
સુપ્રીમ કોર્ટે આજે બાબરી ધ્વંસ મામલે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. જેણે ભાજપના કેટલાક મોટા માથાની મુશ્કેલી વધારી દીધી છે. કોર્ટે આ કેસના આરોપી તેવા 13 ભાજપા નેતાઓ વિરુદ્ધ અપરાધિક કાવતરા હેઠળ ધારા 120 બી મુજબ કેસ ચલાવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સાથે જ તે વાત પણ સુનિશ્ચિત કરી છે કે આ કેસ પર જલ્દીમાં જલ્દી સુનવણી શરૂ થાય. અને કોર્ટે આ માટે બે વર્ષની સમય સીમા પણ નક્કી કરી છે. ત્યારે આ બાબતે મહત્વના 10 પોઇન્ટ વિગતવાર વાંચો અહીં...

1. આ મામલે સુનવણી બે વર્ષની અંદર પૂર્ણ થઇ જવી જોઇએ તેવો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે.
2. હવે આ કેસ લખનઉ કોર્ટમાં ચાલશે. જેની દરરોજ સુનવણી થશે અને લગભગ 2 વર્ષ માટે ચાલતી રહેશે.
3. વિનય કટિયાર, સાધ્વી રૂતંમ્બરા, સતીશ પ્રધાન, ચંપત રાય બંસલની વિરુદ્ધ પણ આ કેસમાં ચાલશે કેસ.
4. ચાર અઠવાડિયાની અંદર આ મામલે રાયબરેલીથી લખનઉમાં કેસ ટ્રાન્સફર થશે.
5. કોર્ટે તેમ પણ કહ્યું કે જ્યાં સુધી કલ્યાણ સિંહ રાજ્યપાલ છે તેમની વિરુદ્ધ કોઇ કેસ નહીં ચાલે.
6. આ મામલે સુનવણી કરનાર કોઇ પણ જજની ટ્રાન્સંફર નહીં થાય.
7. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે આ કોર્ટમાં સાધારણ પરિસ્થિતિમાં આ મામલે સુનવણી સ્થગિત નહીં થાય.
8. લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત તમામ ભાજપા નેતાઓ વિરુદ્ધ અપરાધિક ષડયંત્ર હેઠળ કેસ ચલાવવામાં આવશે.
9. સુપ્રીમ કોર્ટે રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહને આ મામલે છૂટ આપી છે.
10. સુપ્રીમ કોર્ટે બાબરી ધ્વંશ મામલે સીબીઆઇની તે અપીલને સ્વીકારી છે જેમાં સીબીઆઇએ વરિષ્ઠ ભાજપ નેતા લાલ કૃષ્ણ અડવાણી સમેત અન્ય વિરુદ્ધ કાવતરા મામલે કેસ પાછો ન લેવાની અપીલ કરવામાં આવી હતી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
