Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Babri Masjid demolition case LIVE: બાબરી વિધ્વંસ કેસમાં અડવાણી સહિત બધા આરોપી મુક્ત

છ ડિસેમ્બર 1992ને અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ સંબંધિત કેસમાં આજે(30 સપ્ટેમ્બર) સીબીઆઈ કોર્ટે પોતાના ચુકાદો સંભળાવશે.

નવી દિલ્લીઃ છ ડિસેમ્બર 1992ને અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ સંબંધિત કેસમાં આજે(30 સપ્ટેમ્બર) સીબીઆઈ કોર્ટે પોતાના ચુકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટે આ 31 ઓગસ્ટ સુધી કરવાના આદેશ સીબીઆઈ કોર્ટને આપ્યા હતા. ઘટનાનના 28 વર્ષ બાદ કેસમાં ચુકાદો આવી રહ્યો છે. કોર્ટે બધા આરોપીઓને કોર્ટમાં રહેવા કહ્યુ છે. આ કેસમાં ભાજપના સીનિયર લીડર લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત 49 આરોપી છે. આમાંથી 17ના મોત થઈ ચૂક્યા છે.

babri

Sep 30, 2020, 1:15 pm IST

બાબરી કેસમાં ચુકાદો આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી.
Sep 30, 2020, 1:14 pm IST

ચુકાદા બાદ રામ માધવે ટ્વિટ કરીને કહ્યુ કે બાબરી મસ્જિદ કેસમાં સીબીઆઈ કોર્ટે બધા આરોપીઓને મુક્ત કરી દીધા. આપણા દેશના અમુક સૌથી સમ્માનિત નેતાઓ સામે એક દૂર્ભાગ્યપૂર્ણ કેસ 3 દશકથી ચાલી રહ્યો હતો જે આજે ખતમ થયો. બધાએ ચુકાદાનુ સ્વાગત કરવુ જોઈએ.
Sep 30, 2020, 1:13 pm IST

કોર્ટે એ પણ કહ્યુ કે ઘણા લોકો ઢાંચો તોડવામાં શામેલ હતા. ત્યાં આરોપી તેમને શાંત કરવાની કોશિશ કરી રહ્યા હતા. બાબરી ધ્વંસ કોઈ ષડયંત્ર નહોતુ, આ બધુ ક્ષણભરમાં થયેલી ઘટના છે.
Sep 30, 2020, 1:12 pm IST

બાબરી ધ્વંસ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતનો ચુકાદો 2300 પાનાંનો છે. બધા આરોપીઓને મુક્ત કરીને કોર્ટે કહ્ટયુ કે વિહિપની મસ્જિદ ધ્વંસમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કોઈ ભૂમિકા નથી. ઘણા અજ્ઞાત લોકો વિધ્વંસમાં શામેલ હતા.
Sep 30, 2020, 12:52 pm IST

બાબરી કેસમાં ચુકાદો આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે લાલકૃષ્ણ અડવાણીના ઘરે પહોંચીે મુલાકાત કરી.
Sep 30, 2020, 12:51 pm IST

સુનાવણી દરમિયાન કોર્ટે જોયુ કે 1992માં જે બાબરી ઢાંચો પાડવામાં આવ્યો તે પૂર્વ નિયોજિત નહોતો.
Sep 30, 2020, 12:51 pm IST

બાબરી વિધ્વંસ કેસમાં ચુકાદો સંભળાવતા એસકે યાદવે કહ્યુ કે ફોટો, વીડિયો, ફોટોકૉપીમાં જે રીતે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તેમાં આરોપીઓ સામે કોઈ ઠોસ પુરાવા નથી.
Sep 30, 2020, 12:31 pm IST

અયોધ્યામાં 1992માં થયેલ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં છેવટે 28 વર્ષ બાદ આજે ચુકાદો આવી ગયો. સીબીઆઈ કોર્ટે બધા આરોપીઓને છોડી દીધા છે.
Sep 30, 2020, 12:21 pm IST

લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, સતીશ પ્રધાન અને મહંત નૃત્ય ગોપાલદાસ અવસ્વસ્થ હોવાના કારણે આજે કોર્ટ ન પહોંચ્યા. તે વીડિયો કૉન્ફરન્સ દ્વારા કોર્ટની કાર્યવાહીમાં શામેલ થશે.
Sep 30, 2020, 12:11 pm IST

સીબીઆીના સ્પેશિયલ જજ સુરેન્દ્ર કુમાર યાદવ આજે આના પર ચુકાદો સંભળાવવાના છે. ખાસ વાત એ છે કે એસકે યાદવ પોતાના પદ પર નક્કી સમયથી એક વર્ષ વધુ કાર્યરત છે. વાસ્તવમાં આ કેસ માટે ખાસ તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. બીજી રસપ્રદ વાત એ પણ છે કે આ ચુકાદો 30 સપ્ટેમ્બર, 2020ના રોજ આવી રહ્યો છે અને તેના બરાબર એક વર્ષ બાદ આ કેસમાં ચુકાદો સંભળાવાનો છે.
Sep 30, 2020, 11:48 am IST

બાબરી કેસમાં જજે ફેસલો વાંચવો શરૂ કરી દીધો
Sep 30, 2020, 11:45 am IST

સીબીઆઈના વિશેષ જજ પોતાના ચેમ્બરમાં પહોંચી ગયા. થોડીવારમાં આ મામલે સુનાવણી થશે.
Sep 30, 2020, 11:26 am IST

લખનઉમાં સીબીઆઈ કોર્ટ બહાર સુરક્ષાના આકરા ઈંતેજામ કરવામાં આવ્યા છે.
Sep 30, 2020, 11:25 am IST

ઉમા ભારતીને કોરોના હોવાથી તેઓ પણ કોર્ટમાં હાજર નહિ, તેમના સહિત કુલ 6 આરોપી હાજર નહિ થાય.
Sep 30, 2020, 11:23 am IST

એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી કોર્ટમાં હાજર નહિ રહે
Sep 30, 2020, 10:23 am IST

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં આજે સીબીઆઈની વિશેષ અદાલત પોતાનો ચુકાદો સંભળાવશે. જેને જોતા લખનઉમાં કોર્ટની બહાર સુરક્ષા સઘન બનાવાઈ છે.
Sep 30, 2020, 9:24 am IST

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં આજે ચુકાદો સંભળાવશે લખનઉની વિશેષ સીબીઆઈ કોર્ટ, કોર્ટ પરિસરમાં સુરક્ષા કડક કરવામાં આવી.
Sep 30, 2020, 8:19 am IST

બાબરી મામલે મહંત ધર્મદાસ બોલ્યા - કોર્ટના ચુકાદાનુ સમ્માન કરીશુ.
Sep 30, 2020, 8:19 am IST

રાજ્ય સરકારોને સંવેદનશીપ જિલ્લાઓમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવા અને સોશિયલ મીડિયામાં ભડકાઉ સામગ્રી પર કડક નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.
Sep 30, 2020, 8:18 am IST

બે આરોપી ઉમા ભારતી અને કલ્યાણ સિંહ કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલમાં ભરતી છે. ચુકાદા સમયે તે કોર્ટમાં હાજર રહેશે કે નહિ તેની સૂચના નથી.
Sep 30, 2020, 8:17 am IST

કેન્દ્ર સરકારે ચુકાદા બાદ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જિલ્લામાં કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે રાજ્યોને સતર્ક રહેવાના આદેશ આપ્યા છે.
Sep 30, 2020, 8:16 am IST

આ રીતે બાબરી મસ્જિદ ઢાંચો તોડી પાડવાના કેસમાં કુલ 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા જેમાંથી 17 લોકો હવે આ દુનિયામાં નથી. જે લોકો પર બુધવારે લખનઉની વિશેષ અદાલત ચુકાદો સંભળાવવાની છે.
Sep 30, 2020, 8:15 am IST

આ કેસમાં લખનઉની વિશેષ સીબીઆઈ અદાલતના સ્પેશિયલ જજ સુરેન્દ્રકુમાર યાદવ ચુકાદો સંભળાવશે.
Sep 30, 2020, 8:14 am IST

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 6 ડિસેમ્બર, 1992ના રોજ કારસેવકોની ભારે ભીડ વચ્ચે બાબરી મસ્જિદ પાડી દેવામાં આવી હતી.
Sep 30, 2020, 8:14 am IST

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ટ્રાયલ કરનાર સ્પેશિય જજ એસકે યાદવ ગયા વર્ષે 30 સપ્ટેમ્બરે જ રિટાયર થવાના હતા પરંતુ સુપ્રીમ કોર્ટે તેમનો કાર્યકાળ ચુકાદો આવવા સુધી વધારવાના આદેશ જારી કર્યા.
Sep 30, 2020, 8:12 am IST

ઘટનાના 28 વર્ષ બાદ ચુકાદો આવી રહ્યો છે.
Sep 30, 2020, 8:11 am IST

આ કેસમાં ભાજપના સીનિયર લીડર લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત 49 આરોપી છે. આમાંથી 17ના મોત થઈ ચૂક્યા છે.
Sep 30, 2020, 8:08 am IST

અયોધ્યામાં છ ડિસેમ્બર 1992ના રોજ થયેલ વિવાદિત ઢાંચાના વિધ્વંસની ઘટના પર ન્યાયાલયનો ચુકાદો 30 સપ્ટેમ્બરે સંભળાવવામાં આવશે. આ ચુકાદો કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંભળાવવામાં આવશે. પોલિસે લખનઉમા વિશેષ સીબીઆઈ કોર્ટે આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
Sep 30, 2020, 8:08 am IST

અયોધ્યામાં છ ડિસેમ્બર 1992ના રોજ થયેલ વિવાદિત ઢાંચાના વિધ્વંસની ઘટના પર ન્યાયાલયનો ચુકાદો 30 સપ્ટેમ્બરે સંભળાવવામાં આવશે. આ ચુકાદો કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંભળાવવામાં આવશે. પોલિસે લખનઉમા વિશેષ સીબીઆઈ કોર્ટે આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X