બાબરી મસ્જિદ વિધ્વંસ કેસઃ થોડી વારમાં આવશે ચુકાદો, અડવાણી, જોશી, ઉમા નહિ પહોંચે કોર્ટ
સમાચારો મુજબ અડવાણી-જોશી અને ઉમા ભારત આજે ચુકાદાના દિવસે કોર્ટ પહોંચવાના નથી.
લખનઉઃ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં વિશેષ કેન્દ્રીય તપાસ બ્યુરો(સીબીઆઈ)ની અદાલત આજે એટલે કે 30 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો સંભળાવશે. અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદને પાડી દેવામાં આવી હતી. આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓ પર ચુકાદો આવવાનો છે. પરંતુ સમાચારો મુજબ અડવાણી-જોશી અને ઉમા ભારત આજે ચુકાદાના દિવસે કોર્ટ પહોંચવાના નથી.

સમાચારો મુજબ ઉમા ભારતી કોરોનાથી સંક્રમિત છે માટે તે સેલ્ફ ક્વૉરંટાઈન છે. વળી, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીએ પોતાના સ્વાસ્થ્યને આધાર બનાવીને ન આવવા માટે કહ્યુ છે. લાલકૃષ્ણ અડવાણી 90 વર્ષથી વધુ ઉંમરના છે. વળી, મુરલી મનોહર જોશી 85 પાર કરી ગયા છે. એવામાં કોરોના મહામારીને જોતા પણ તેમને કોર્ટની સુનાવણીમાં ન આવવા માટે કહ્યુ છે.
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં સીહીઆઈ કોર્ટ 28 વર્ષ બાદ પોતાનો ચુકાદો સંભળાવશે. બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં લગભગ 2000 લોકો માર્યા ગયા હતા. આ કેસમાં કોર્ટમાં 351 સાક્ષીઓને હાજર કરવામાં આવ્યા છે અને 600 દસ્તાવેજ પણ પુરાવા તરીકે રજૂ કરવામાં આવી ચૂક્યા છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
